અજાણ્યા શખ્સો દ્વારા કર્ણાટકના બેલ્લારેમાં ભાજપના યુવા મોર્ચાના કાર્યકર્તાની હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે.
કર્ણાટકમાં ભાજપ નેતાની હત્યાને પગલે ભારે હોબાળો
હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓએ ન્યાયની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા
દક્ષિમ કન્નડ સાંસદની ગાડીને ભીડે ઘેરી લીધી
કર્ણાટકના દક્ષિણ કન્નડના બેલ્લારેમાં ભાજપના યુવા મોર્ચાના કાર્યકર્તા પ્રવણી નેત્તારુની હત્યા પર પ્રદર્શનકારીઓએ પોતાના ગુસ્સો જાહેર કર્યો હતો. અહીં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ દક્ષિણ કન્નડથી સાંસદ નલિનકુમાર કતીલની કારને ટાર્ગેટ બનાવી અને તેનો ઘેરાવ કર્યો હતો. આ ઘટના બાદ બુધવારે કેટલીય જગ્યાએ તણાવભરી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી. કેટલીય જગ્યાએ પથ્થરમારો અને પોલીસ લાઠીચાર્જના સમાચાર પણ આવ્યા હતા. સંઘ પરિવારે હત્યાના વિરોધમાં બુધવારે પુત્તુર, કદાબા અને સુલિયા તાલુકમાં બંધનું એલાન આપ્યું હતું.
અજાણ્યા શખ્સોએ ભાજપ નેતાની હત્યા કરી
અહીં ઉલ્લેખનિય છે કે, મંગળવારની રાતે પ્રવણી નેત્તારુની બેલ્લારેમાં તેની દુકાન સામે મોટરસાયકલ પર આ વેલા અજાણ્યા શખ્સોએ હત્યા કરી દીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે, દક્ષિણ કન્નડ જિલ્લાના બેલ્લારેનો રહેવાસી નેત્તારુ મંગળવારે મોડી સાંજે પોતાની દુકાન બંધ કર્યા બાદ ઘરે જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર હુમલો કર્યા, તેણે બચીને ભાગવાની કોશિશ કરી પણ માથામાં ઘા માર્યા હોવાના કારણે તે જમીન પર બેસુધ થઈને ઢળી પડ્યો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોહીથી લથબથ નેત્તારુને હોસ્પિટલમાં પહોંચાડ્યો. જ્યાં તબીબોએ જણાવ્યું કે, હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.
#WATCH | Protestors express their anger over the murder of BJP Yuva Morcha worker Praveen Nettaru in Bellare, Dakshina Kannada.
યુવા કાર્યકર્તાઓએ ન્યાયની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા
આ તમામની વચ્ચે ભાજપના મૃતક કાર્યકર્તાની લાશને એક એમ્બ્યુલન્સમાં પૈતૃક ગામ લાવવામાં આવ્યો હતો. તેની અંતિમ સંસ્કાર નેત્તારુમાં થશે. અલગ અલગ હિન્દુ સંગઠનોના સેંકડો કાર્યકર્તા ન્યાયની માગ સાથે બેલ્લારેમાં એકઠા થયા હતા. પોલીસે પથ્થરમારાની ઘટના બાદ ઉગ્ર ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.