કૃષિ કાયદાને રદ્દ કરવાની માંગને લઈને કિસાન સંગઠનના કેએમપી એક્સપ્રેસ- વે 24 કલાક માટે જામ રાખવાનું આહ્વાન કર્યા બાદ પોલીસ પ્રશાસને સુરક્ષા વધારી દીધી છે.
કિસાન સંગઠનના કેએમપી એક્સપ્રેસ- વે 24 કલાક માટે જામ
પોલીસ પ્રશાસને સુરક્ષા વધારી દીધી છે
16 સ્થાનો પર લાગ્યા ચેક પોસ્ટ
કિસાન સંગઠનના કેએમપી એક્સપ્રેસ- વે 24 કલાક માટે જામ
કેમપી (કુંડલી -મોનસર- પલવલ) પર સુરક્ષા વ્યવસ્થા માટે 20 કંપની લગાવવામાં આવી છે. આ કંપનીઓ 6 ડીએસપી અને 17 ઈન્સપેક્ટરના માર્ગદર્શનમાં કામ કરશે. જામ દરમિયાન કાયદો અને વ્યવસ્થા ખરાબ કરનાર પર તંગ કસવામાં આવશે. ખેડૂતોને કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે લોકોને કેએમપી તરફ ન જવાની સલાહ આપવામાં આવી રહી છે.
શનિવારે સવારે 8 વાગ્યાથી રવિવારની સવારના 8 આવ્યા સુધી 24 કલાક સુધી કેએમપી જામ
ખેડૂત સંગઠન 3 કૃષિ કાયદાને પાછો લેવાની માંગ પર ધરણા કરી રહ્યા છે. કુંડલી બોર્ડર પર હજોરો ખેડૂતો અડેલા છે. બોર્ડર પર વાહનની અવરજવર ઠપ છે. ખેડૂતો શનિવારે સવારે 8 વાગ્યાથી રવિવારની સવારના 8 આવ્યા સુધી 24 કલાક સુધી કેએમપી જામ રાખવાની ચેતવણી આપી ચૂક્યા છે. એએમપી પર 6 ડીએસપીના નેતૃત્વમાં 20 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 12 તથા પોલીસની આઠ કંપનીઓ તૈનાત રહેશે. 6 ડીએસપીની સાથે 17 ઈન્સપેક્ટરની ડ્યૂટી લગાવવામાં આવી છે. આ સાથે રાઈ, કુંડલી તથા ખરખોડા સ્ટેશનમાં સુરક્ષા ટીમ બનાવવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને પણ ન આપી શકાય.
16 સ્થાનો પર લાગ્યા ચેક પોસ્ટ
એસપી જશ્નદીપ સિંહ રંધાવાએ ખેડૂતોને કેએમપી જામને લઈને 16 સ્થાનો પર પોલીસ નાકા લગાવ્યા છે. આ તમામ નાકા પર પોલીસકર્મી તૈનાત રહેશે. દરેક ગતિવિધિ અને વાહનો પર નજર રખાશે. પોલીસે બહાલગઢ ચૌક, કેએમપી, કેજીપી, મુરથ, ગન્નૌર, પિપલી, પિપલી ટોલ પ્લાજા અને બારોટા ચૌક અને શહેરમાં અનેક માર્ગો પર નાકા લગાવ્યા છે.
પોલીસની સલાહ
પોલીસે વાહન ચાલકો માટે નવી સલાહ જારી કરી છે. નેશનલ હાઈવે 44 પર જમ્મુ, હિમાચલ, ચંડીગઢ તથા અંબાલા તરફથી અવરજવર કરવાનું કહ્યું છે. એજ રીતે નેશનલ હાઈવે 71 એના માધ્યમછી દિલ્હીમાં પ્રવેશવાનું જણાવ્યું છે.
ખેડૂતો 13ના રોજ દિલ્હીની બોર્ડર પર મનાવશે બૈસાખી
13 એપ્રિલના રોજ બૈસાખીનો પર્વ દિલ્હીની તમામ બોર્ડર પર મનાવવામાં આવશે. 14 એપ્રિલે ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકર જયંતી પર સંવિધાન બચાવો દિવસ મનાવવામાં આવશે. એક મેએ દિલ્હીએ બોર્ડર પર મજૂર દિવસ મનાવવામાં આવશે. ખેડૂતોનું કહેવું છે કે આ દિવસ તમામ કાર્યક્રમ મજૂર અને ખેડૂત એકતાનો સમર્પિત હશે.
સંસદ કુચ કરવામાં આવશે
મેના પહેલા અઠવાડિયે સંસદ કુચ કરવામાં આવશે. ખેડૂતોનો દાવો છે કે આ પદયાત્રામાં મહિલાઓ ભાગ લેશે અને આ ક્રાર્યક્રમ શાંતિપૂર્ણ રીતથી થશે. પોતાના ગામ તથા શહેરથી ખેડૂત દિલ્હી બોર્ડર સુધી પોતાના વાહનોથી જશે. આ બાદ દિલ્હી બોર્ડરથી સંસદ સુધી પદ માર્ચ કરવામાં આવશે.