ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું છે, ગઈ કાલે AAP-ભાજપ વચ્ચેના ઘર્ષણ થયા બાદ ભાજપ દ્વારા આપ નેતાઓ સામે ફરિયાદ દાખલ કરાઈ જેમાં કેટલાક મહિલાઓના જામન નામંજૂર થતા મહિલાઓને રાત સાબરમતી જેલામા વિતાવવી પડી હતી.
AAP-ભાજપ વચ્ચેના ઘર્ષણનો મામલો
AAPની મહિલા કાર્યકરોના જામીન નામંજૂર
મહિલા કાર્યકરોને મોકલાઈ સાબરમતી જેલ
ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેમાં કોંગ્રેસ અને આમ આદમીના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈ કાલે AAP-ભાજપ વચ્ચેના ઘર્ષણ થયું હતું. જેમાં ઘર્ષણમાં કેટલાક આપ નેતાઓ ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક આપ નેતાઓ અને મહિલા કાર્યકરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને મોડી રાત્રે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
કમલમમાં AAP-ભાજપ વચ્ચેના ઘર્ષણનો મામલો
પેપરલીક કાંડ મુદ્દે આપના નેતાઓ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા જેમાં આમ આદમી પાર્ટી AAP અને ભાજપ કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. જેમાં ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે આપ નેતાઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. આપ 6 નેતાઓ સામે નામજોગ અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ થતા સમગ્ર મામલાએ જોર પકડ્યું છે ત્યારે ગઈ કાલે મોડી રાત્રે આપના 28 જેટલા મહિલા કાર્યકરોને કોર્ટમાં રજૂ કરાઈ હતી. જેમાં મહિલા કાર્યકરોએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકરોના જામીન નામંજૂર કરાતા મહિલાઓને રાત્રે જ સાબરમતી જેલમાં મોકલી દેવાઈ હતી.
આપ મહિલા કાર્યકરોના જામીન કર્યા નામંજૂર
AAPના જે નેતાઓ સામે નામજોગ FIR નોંધાઈ છે તેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર પ્રવીણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલનો સમાવેશ થાય છે. આ ફરિયાદ પ્રમાણે, આરોપીઓ કાવતરાપૂર્વક હુમલો કરવા આવ્યા હતા.. તેઓએ જુદા-જુદા સ્થળેથી માણસોને કમલમ ખાતે બોલાવ્યા અને કમલમનો ગેટ તોડીને અંદર પ્રવેશ કર્યો તેવો ઉલ્લેખ કરાયો છે એટલું જ નહીં AAPના ટોળાએ ભાજપની મહિલા કાર્યકરોને શારીરિક અડપલાં કરી માર માર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આની સાથે જ અભદ્ર ભાષા બોલીને પોલીસની ગાડીનો કાચ તોડ્યો સહિત તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આજે પણ તમામને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસે 452, 341, 323, 143 સહિતની કલમો હેઠળ FIR દાખલ કરી છે.
મહિલા કાર્યકરોને મોકલાઈ સાબરમતી જેલ
રાજ્યમાં આજે પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ પર રાજકીય તમાશો જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા કાર્યકરો સાથે કમલમમાં ધસી જઈને ધરણા પર બેસી ગયા. ધરણા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થતાં ત્યાં પોલીસ દોડી આવી હતી.