કલાનગરી તરીકે ઓળખાતા શહેર વડોદરામાં ખુદ કલાકારો પોતાની કલાને બચાવવા અને વેચવા રોડ ઉપર બેસવું પડ્યું છે. વડોદરાની એક માત્ર આર્ટ ગેલેરી વિવેકાનંદ આર્ટ ગેલેરીને પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ અન્ય કોઈ સુવિધા ન કરવામાં આવતા આખરે તમામ કલાકારોએ રોડ અને ફૂટપાથ ઉપર પોતાની કલાનું પ્રદર્શન યોજ્યું અને વિરોધ વચ્ચે પણ લોકોને મતદાન કરવા અપીલ પણ કરી હતી...!
કલાનગરી અને સંસ્કાર નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરનો વિકાસ ભાજપના શાસનમાં એવો થયો કે કલાનગરીના તમામ કલાકારો એ પોતાની કળાના પ્રદર્શન માટે બંધાવેલી આર્ટ ગેલેરીને ખોયા પછી બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા માટે અનેક વખત રજુઆત કરવામાં આવી હતી.
છતાં પણ આખરે નિરાશા હાથ લાગી, તેમજ વડોદરાના તમામ આર્ટિસ્ટઓએ પોતાની નારાજગી સાથે પોતપોતાની કલાકૃતિઓ લઈને વડોદરાના રોડ-ફૂટપાથ ઉપર એક અનોખી રીતે પ્રદર્શન કરવું પડ્યું હતું.