કોરોનાને લઈને હાલમાં દેશમાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે, ખાસ તો વૅક્સિનને મંજૂરી આપી દીધા બાદ જે રાજકારણ શરુ થયું અને આક્ષેપો પ્રત્યાક્ષેપોનો જે દોર ચાલ્યો તેના લીધે અમુક વિવાદો પણ ઉભા થયા છે. આ વિવાદોની વચ્ચે યોગગુરુ બાબા રામદેવનો એક ચેનલ પર ઇન્ટરવ્યુનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ વૅક્સિન નહિ લગાવડાવે કેમ કે તેમને કોરોના થવાનો નથી.
અમુક લોકો સામાજિક અને રાજકીય રીતે બેકાર છે : બાબા રામદેવ
હું વેક્સિન નહીં લઉં, કેમ કે મને કોરોના થવાનો નથી : બાબા રામદેવ
હું કોઈ પણ પગાર કે પદ વગર જ કામ કરી રહ્યો છું : બાબા રામદેવ
એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપતા યોગગુરુ બાબા રામદેવને એન્કરે પૂછ્યું હતું કે રસીને લઈને હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે તે બાબતે તમે સાંભળ્યું તો હશે જ ને...અમુક એક્સપર્ટ કહી રહયા છે કે દેશી વૅક્સિન કોવૅક્સિનના હજુ થર્ડ ફેઝના તરાયલ પૂરા થયા નથી અને આંકડાઓ પણ જાહેર કરવામાં નથી આવ્યા ત્યારે લોકોના મનમાં તેની સુરક્ષાને લઈને સવાલો ઉઠવા સ્વાભાવિક છે.જો એમાં ટ્રાંસપેરેંસી રાખવાની માંગણી કરવામાં આવે છે તો એમાં ખોટું શું છે?
અમુક લોકો માત્ર વિવાદ ઊભો કરવાની ટ્રાય કરતાં હોય છે : બાબા રામદેવ
આ સવાલના જવાબમાં બાબા રામદેવે કહ્યું હતું કે અમુક લોકો માત્ર દરેક વસ્તુમાં વિવાદ ઉભો કરવાની ટ્રાય કરતા હોય છે, મને લાગે કે છે કે આવા માણસો સામાજિક અને રાજકીય બંને રીતે બેરોજગાર છે માટે તેઓ નકામી વાત કરે છે, આવી વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી, ઘણા ક્રિએટિવ કામ કરી શકાય છે જેન કે હું સવારે 4 વાગ્યાથી રાતના 10 સુધી કોઈ પણ પદ કે પગાર વગર જે રીતિ કામ કરી રહ્યો છું તેવી રીતે અન્યોએ પણ કામ કરવું જોઈએ.
મહત્વનું છે કે હજુ થોડા દિવસો પહેલા જ સ્વામી રામદેવનો એક ઇન્ટરવ્યૂ વાયરલ થયો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ પણ રસી લગાવડાવવાના નથી કેમ કે તેમને ખબર છે કે તેમને કોરોના નથી થવાનો. આ સમયે પણ તેમણે લોકોને યોગ કરવાની અપીલ કરી હતી
ભારતમાં એકીસાથે બે વેક્સિનને મળી છે મંજૂરી
જો કે મહત્વનું છે કે હાલમાં ભારતમાં બે વૅક્સિનને એકીસાથે મંજૂરી મળતા ભારતમાં રાજકારણ શરુ થઇ ગયું છે અને આ વાતને લઈને ભારત બાયોટેકના એમડી કૃષ્ણા એલ્લાએ કહ્યું હતું કે વૅક્સિનનું રાજનીતિકર્ણ ન થવું જોઈએ અને હું કે મારા પરિવારમાંથીકોઈ પણ કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી જેથી આ વાત પાર હવે રાજનીતિ બંધ થઇ જોઈએ.