પાટણના સિદ્ધપુર સિવિલના ડૉક્ટરોની સારવારમાં બેદરકારી 2 યુવકના મૃત્યુ થયું હોવાનો સ્થાનિક યુવાનો દ્વારા કરાયા આક્ષેપ
સિદ્ધપુરના અકસ્માતમાં 2 યુવકના મૃત્યુનો મામલો
સ્થાનિક યુવકોનો ડોક્ટરોની બેદરકારીથી મોત થયાના આક્ષેપ
વડોદરામાં તરસાણા ચોકડી નજીક એમ્બ્યુલન્સનો અકસ્માત
સિદ્ધપુરના અકસ્માતમાં 2 યુવકના મૃત્યુના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક યુવકોનો ડૉક્ટરોની બેદરકારીથી મોત થયા હોવાના આક્ષેપ કર્યા છે. સિદ્ધપુર સિવિલના ડોક્ટરો પર બેદરકારીના આક્ષેપ થયા છે. ડોક્ટરોએ સમયસર સારવાર ન કરતા મૃત્યુ થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. "સ્થાનિક યુવકોએ ન્યાય આપો " આ પ્રકારના બેનર સાથે વિરોધ કરવામાં આવ્યો છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરના બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ પાસે બે બાઈક વચ્ચે ગતરાત્રે અકસ્માતમાં ઠાકોર સમાજના બે યુવાનો મોતને ભેટ્યા હતા. જોકે ઠાકોર સમાજનાં બે યુવાનોના મોતને લઈ સ્થાનિક યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. ગઈકાલની ઘટના બાદ યુવાનોએ આજરોજ સિદ્ધપુરની સરકારી સિવિલ હોસ્પિટલ બહાર ભારે વિરોધ તેમજ સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક યુવાનોએ આરોપ લગાવ્યો હતો કે, ડૉક્ટરોની બેદરકારીના કારણે યુવાનોના મોત નિપજ્યા છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન ફરજ પરના ડૉક્ટર સામે પગલાં ભરવાની માંગ ઉઠી છે. અને ચીમકી પણ ઉચ્ચારી કે, મૃતક યુવાનોને ન્યાય નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
તરસાણા નજીક બાઈક અને એમ્બ્યુલન્સ વચ્ચેના અકસ્માતમાં 7 લોકોને ઈજા
વડોદરામાં તરસાણા ચોકડી નજીક એમ્બ્યુલન્સનો અકસ્માત થયો છે. બાઈક અને એમ્બ્યુલન્સ વચ્ચેના અકસ્માતમાં 7 લોકોને ઈજા પહોંચી છે. મધ્યપ્રદેશથી વડોદરા દર્દીને લઈ જતી એબ્યુલન્સનો અકસ્માત થયો છે. આ તમામ ઈજાગ્રસ્તનો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.