સેનામાં ભરતી માટે બનાવામાં આવેલી અગ્નિપથ યોજનામાં સરકાર દ્વારા એજ લિમિટ વધાર્યા બાદ પણ પ્રદર્શનો શાંત થવાનું નામ નથી લેતા.
મોદી સરકાર લાવી છે અગ્નિપથ યોજના
યોજનાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન
તેલંગણામાંથી પ્રથમ મોત સામે આવ્યું
સેનામાં ભરતી માટે બનાવામાં આવેલી અગ્નિપથ યોજનામાં સરકાર દ્વારા એજ લિમિટ વધાર્યા બાદ પણ પ્રદર્શનો શાંત થવાનું નામ નથી લેતા. યુપી અને બિહારમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન ફુંકી દીધી હતી. કેટલીય જગ્યાએ ટ્રેક અને રસ્તા જામ કર્યા હતા. તો વળી યુપીના બલિયામાં સવાર પાંચ વાગ્યાથી પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. અહીં કેટલીય ગાડીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી લીધી છે.
#WATCH | Bihar: Trains burnt and damaged, cycles, benches, bikes, and stalls thrown on railway tracks amid the ongoing agitation against the recently announced #AgnipathRecruitmentScheme
ફિરોઝાબાદમાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર 4 બસોમાં તોડફોડ કરીને જામ કરાવ્યો હતો. હરિયાણાના નારનૌલમાં પણ યુવાઓએ જામ કર્યું હતું. તેલંગણાના સિકંદરાબાદ રેલ્વે સ્ટેશનમાં પણ આગ અને તોડફોનની ઘટના થઈ હતી. અહીં હિંસક પ્રદર્શનમાં એક શખ્સનું મોત પણ થઈ ગયું હતું. L&T મેટ્રો રેલ લિમિટેડ હૈદરાબાદે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, શહેરમાં અમુક ગરબડના કારણે હૈદરાબાદ મેટ્રો રેલની ત્રણ લાઈનો આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, સકંદરાબાદમાં અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા હતા. ત્યાં ટ્રેનમાં આગ લગાવી દેવામાં આવી હતી. તેની સાથે જ ભારે તોડફોડ પણ કરવામાં આવી હતી. પથ્થરબાજીનો વીડિયો પણ સામે આવ્યો હતો.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, રેલ્વે સ્ટેશન પર એક તરફ પોલીસવાળા ઉભા છે, તો વળી બીજી બાજૂ પ્રદર્શનકારીઓ. પ્રદર્શનકારીઓ તરફથી પોલીસ પર સતત પથ્થરબાજી થઈ રહી છે. સ્ટેશન પર પથ્થરોનો ઢગલો પણ દેખાઈ રહ્યો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન કુલ 17 રાઉંડ ફાયરિંગ થઈ હતી, જેમાં એક શખ્સનું મોત પણ થઈ ગયું છે. તો વળી 13 લોકો ઘાયલ થઈ ગયા હતા. તેમાંથી એક શખ્સની હાલત અત્યંત ગંભીર છે. પહેલા જાણકારી આવી હતી કે, સિકંદરાબાદમાં કુલ બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર હતી, તેમાંથી એકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ પ્રદર્શનને જોતા ગૃહમંત્રાલયે મોટો નિર્ણય લીધો છે, ત્યાં સીઆરપીએફની ત્રણ કંપનીઓ મોકલવામા આવશે.