યુક્રેનના વિમાન ક્રેશની જવાબદારી લીધા બાદ ખામનેઇ વિરુદ્ધ ઇરાનના રસ્તાઓ પર હજારો લોકો ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓ ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામનેઇના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી, બીજો 'નરસંહાર' ન થવો જોઇએ
ઇરાને સ્વીકાર્યું હતું કે તેણે ભૂલથી યુક્રેનનું વિમાન તોડી પાડ્યું હતું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચેતવણી આપી છે કે તેઓ સ્થિતિની દેખરેખ રાખી રહ્યા છે, અને હવે બીજો 'નરસંહાર' ન થવો જોઇએ. ઇરાને સ્વીકાર્યું હતું કે તેણે ભૂલથી યુક્રેનનું વિમાન તોડી પાડ્યું હતું, જેમા 176 લોકોના મોત થયા હતા.
'ખામનેઇ દેશ છોડે' ના લાગ્યા નારા
ઇરાનની રાજધાની તેહરાનમાં અમેરિકી દુતાવાસની બહાર હજોરોની સંખ્યામાં લોકો પ્રદર્શન કરવા એકજુટ થયા. ત્યારે અમીર કાબિર યુનિવર્સિટીની બહાર પણ ઇરાન સરકારની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું. લોકો હાથમાં પોસ્ટરની સાથે અહીં એકઠા થયા હતા અને ખામનેઇના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. શનિવારે ઇરાનમાં વિદ્યાર્થીઓએ એકઠા થઇને પ્રદર્શન કર્યું અને માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. નોંધનીય છે કે, સુલેમાનીના મોત બાદ લાખો લોકો ઇરાનના રસ્તાઓ પર ઉતર્યા હતા અને અમેરિકા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિદ્યાર્થીઓના મોત પર ઇરાનમાં આક્રોશ
ઇરાને જે વિમાનને તોડી પાડ્યું હતું તેમા સૌથી વધારે ઇરાનના જ નાગરિક હાજર હતા. આ વિમાન ક્રેશમાં ઇરાનના 82 અને કનાડાના 63 નાગરિક હતા. 8 જાન્યુઆરીએ આ વિમાન યુક્રેનની રાજધાની કીવ જઇ રહ્યું હતું. તેમા ઇરાન અને કેનાડા ઉપરાંત યુક્રેનના 10 સ્વીડનના 10, અફઘાનિસ્તાનના 4 જ્યારે જર્મની અને બ્રિટેનના 3-3 નાગરિક મુસાફરી કરી રહ્યા હતા.
રાષ્ટ્રપ્રમુખે ઘટનાને અક્ષમ્ય બતાવી
ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રુહાનીએ કહ્યું હતું કે માનવીય ભૂલને કારણે ખોટી દિશામાં મિસાઇલ ચલાવવામાં આવી અને આ કારણે વિમાન અકસ્માતનું શિકાર બની ગયું. તેઓએ તેને 'અક્ષમ્ય ભૂલ પણ બતાવી'.
ઇરાનના વિદેશ મંત્રી જવાદ જરીફે ટ્વિટ કર્યું, 'દુ:ખી કરનાર દિવસ. આર્મીની શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે અમેરિકાના હુમલાના સમયે માનવીય ભૂલને કારણે ક્રેશ થયો. તેના પર અમે પછતાવો છે. અમે દુ:ખ વ્યક્ત કરતા પીડિતોના પરિવારોની માફી માંગીએ છીએ.'
બ્રિટેનના રાજદૂતને કસ્ટડીમાં લેવાયા બાદ મુક્ત કરાયા
ઇરાનના બ્રિટેનના રાજદૂતની પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા, જોકે થોડીવારમાં તેમને છોડી મુકવામાં આવ્યા. બ્રિટેન અને કેનાડાએ જ સૌથી પહેલા આશંકા વ્યક્ત કરી હતી કે ઇરાને જ વિમાન તોડી પાડ્યું છે.
ઇરાન પર આંતરરાષ્ટ્રીય દબાણ
ઇરાન કેટલોક સમય ઇનકાર કરતું રહ્યું કે તેની ભૂલને કારણે વિમાન તોડી પડાયું. જોકે, બાદમાં આંતરરાષ્ટ્રીય દબાણમાં તેણે આ સ્વીકાર કરવું પડ્યું. ઇરાને ઓસ્ટ્રેલિયા અને કેનાડાના દાવા વચ્ચે શુક્રવારે કહ્યું હતું કે યુક્રેનનું વિમાન તેની મિસાઇલનું શિકાર નથી થયું.