સુરેન્દ્રનગરના દસાડા હાઇવે પર દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા દલિત સમાજના સ્મશાનમાંથી ગટરના ગંદા પાણીનો નિકાલ કરતી પાઇપલાઇન નાખવામાં આવી છે. જેને લઇ દલિત સમાજ દ્વારા નનામી મૂકી ચક્કાજામ કરવામાં આવ્યો.
આ સાથે જ્યાં સુધી ગંદા પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી મૃતકના અંતિમ સંસ્કાર નહીં કરવાની દલિત સમાજે ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ચક્કાજામને પગલે હાઇવે પર બંને સાઇડ ટ્રાફિક જામ થતા પોલીસ સહિત મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
આ ઘટના મામલે મળતી વિગત મુજબ, તંત્ર દ્વારા દલિત સમાજના સ્મશાનમાંથી ગટરના ગંદા પાણીનો નિકાલ કરતી પાઇપલાઇન નાખવામાં આવી હોવાથી તેના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ દલિત સમાજના લોકો ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી જ્યાં સુધી ગંદા પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી મૃતકના અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે, દલિત સમાજ દ્વારા કરવામાં આવેલ આ ચક્કાજામને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.