સાવરકુંડલામાં MLA પ્રતાપ દૂધાત અને ખેડૂતો ગ્રામ્ય કનેક્શનને લઈ વીજ કચેરી પહોંચ્યા હતા, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં કનેકશનને લઈ MLAએ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી
અમરેલીના સાવરકુંડલામાં વીજ કચેરીનો ઘેરાવ
MLA પ્રતાપ દુધાત અને ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો ઘેરાવ
ગ્રામ્ય કનેકશનને લઈ MLAએ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી
અમરેલીના સાવરકુંડલામાં વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો. સાવરકુંડલામાં MLA પ્રતાપ દૂધાત અને ખેડૂતો ગ્રામ્ય કનેક્શનને લઈ વીજ કચેરી પહોંચ્યા હતા. જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં કનેકશનને લઈ MLAએ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. MLAની ઉગ્ર રજૂઆતના પગલે વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો. વીજ કચેરીનો ઘેરાવ કરવા મોટી સંખ્યામાં ખેડૂતો વીજ કચેરીએ પહોંચ્યા હતા. તૌકતે વાવાઝોડાથી લઈને હજુ સુધી વીજ કનેક્શનની વાત માત્ર વાત રહી છે.
કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દૂધાતની ચીમકી
દૂધાતે કહ્યું કે, તૌકતે વાવાઝોડ પછી મુખ્યમંત્રીએ અવાર-નવાર પોતાની સફળતા ગણાવી રહ્યા છે. ગામે-ગામ વીજળી પહોંચી ચૂકી હોવાના સરકાર દ્વારા દાવા થઈ રહ્યા છે. પરંતુ મારા મત વિસ્તારમાં ખેડૂતો વગર વીજ કનેક્શને ખેતી કરી રહ્યા છે. ઊનાળુ પાક નિષ્ફળ ગયો છે. જેનું પણ યોગ્ય વળતર મળ્યું નથી. તો સાથે ચોમાસુ પાક પણ નિષ્ફળ જવાની શક્યતા છે. આવી સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે આગળ આવવું પડે છે. તૌકતે વાવાઝોડા બાદ થાંભલા ઉભા કરવાના કેટલાક કામ કોન્ટ્રાક્ટરોએ કરવાના હોય છે. તેના માટે ખુદ ખેડૂતો મદદે આવ્યા હતા. આમ છતાં સરકાર હજુ સુધી સ્થિતિ સંભાળી શકી નથી. અંદાજે 82 દિવસ થઈ ચૂક્યા છે.