પરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા તે દરમિયાન પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો જેમાં અનેક નેતાઓ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે પોલીસ કેટલાકની અટકાયત કરી હતી.
રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ પેપર ફુંટી ગયુ હતું. પહેલા તો સરકાર પણ પેપર ફુટવાની વાતને અફવા ગણાવી રહી હતી પરતું બાદમાં સરકારે સરકારે પણ પેપર ફુંટ્યું હોવાનું સ્વીકાર્યું હતું.
આ પેપરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હાત અને ભારે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કર્યો હતો. જો કે પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી તેમની ઉપર લાઠીચાર્જ કર્યો હતો જેમાં આપના કેટકાલ નેતાઓને ઈજા થઈ હતી.પોલીસ લાઠી ચાર્જમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ ઉઠી ગયા હતા.જ્યારે અન્ય કેટલાક કાર્યકરોના માથા પણ ફૂટ્યાં હતા. આપના ઉગ્ર વિરોધ વચ્ચે પોલીસે ઇસુદાન ગઢવી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. માત્ર એટલું જ નહીં પોલીસે કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવી પડી હતી.
तुम्हारें हाथों में ये जो लाठी, डंडे और बेंत हैं
यही तुम्हारी हार के संकेत है!म
મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. આજની આ ઘટના બાદ ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવા બદલ પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
હલકી ભાજપની હલકી માનસિકતા
ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યુ છે,બેરોજગારો માટે અવાજ ઉઠાવતા લોકો પર પણ લાઠીચાર્જ કરવામા આવે છે,
હેડ ક્લાર્કના પેપર લીક બાદ હવે કોંગ્રેસ કાંઈ પણ કાચુ કાપવા દેવા માંગતી નથી. ત્યારે આજે કોંગ્રેસ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 9 પેપર લીક થયા છે. છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકારમાં બેરોજગારી આસમાને છે, ત્યારે LRD,સચિવાલયની પરીક્ષાના પેપર લીક બાદ હેર્ડ ક્લાર્કનું પેપર ફુંટી જવું એ કૌભાંડ છે. રઘુ શર્માએ વધુમાં કહ્યું કે એકવાર પેપર લીક થવા તો સમજી શકાય ભુલ થઈ પરતું વારંવાર એકબાદ એક એમ 9 વખત પેપર પરીક્ષા પહેલા જ ફુંટી ગયા છે.
હેડ ક્લાર્ક પેપર લીક મામલે કોંગ્રેસ કરશે દેખાવો
મહત્વનું કે પેપર લીક મુદ્દે હવે કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે. ત્યારે રઘુ શર્માએ પેપરકાંડ મામલે હાઈકોર્ટના જજ પાસે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. રઘુ શર્માએ જણાવ્યું કે પેપર લીક મામલે કોંગ્રેસ દેખાવો કરશે. સરકારને ઘેરવામાં આવશે રસ્તાઓ રોકવામાં આવશે.પેપર કૌભાંડને લઈ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાશે. 21 ડિસેમ્બરે ધારાસભ્યોની બેઠક યોજાશે. તેમજ 22 ડિસેમ્બરે કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ બાઈક રેલી યોજી ઉગ્ર દેખાવો કરશે તેમ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું છે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવે અને હેડક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવે તેવી માંગ કરી છે. જગદીશ ઠાકોરે જણાવ્યું કે ગુજરાતના બેરોજગાર યુવાનોને ખ્યાલ છે કેટલા પેપર ફૂટ્યા છે, મુખ્યમંત્રીએ બેરોજગાર યુવાનોની માફી માગવી જોઇએ, આ પેપરકાંડમાં પેપર ફોડવા વાળા અને ઈવેન્ટ વાળા બંને સામેલ છે તેમ ભાજપ સરકાર પર કટાક્ષ કરતા બેરોજગાર યુવકોને ન્યાય ન મળે ત્યા સુધી લડત ચાલુ રહેશે તેમ જગદીશ ઠાકોરે જણાવ્યું છે.
પેપર લીક મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુંટી જતા હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, પોલીસે પેપરકાંડમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે હજુ પણ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પેપરકાંડ બાદ ગુજરાતના રાજનીતિ ગરમાઈ છે.
પેપર લીક કેસમાં વિરોધ મુદ્દે બોલ્યા હર્ષ સંઘવી
પેપરલીક મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે વિરોધ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે કેટલાક લોકો માત્ર રાજકીય રોટલા શેકવા આવ્યા છે. પોલીસે કાર્યવાહી કરી એટલે કેટલાકને પેટમાં દુ:ખે છે.
ગુજરાતમાં 5 વર્ષમાં 9 પેપર લીક થયા: શર્મા
હેડ ક્લાર્કના પેપર લીક બાદ હવે કોંગ્રેસ કાંઈ પણ કાચુ કાપવા દેવા માંગતી નથી. ત્યારે આજે કોંગ્રેસ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 9 પેપર લીક થયા છે. છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકારમાં બેરોજગારી આસમાને છે, ત્યારે LRD,સચિવાલયની પરીક્ષાના પેપર લીક બાદ હેર્ડ ક્લાર્કનું પેપર ફુંટી જવું એ કૌભાંડ છે. રઘુ શર્માએ વધુમાં કહ્યું કે એકવાર પેપર લીક થવા તો સમજી શકાય ભુલ થઈ પરતું વારંવાર એકબાદ એક એમ 9 વખત પેપર પરીક્ષા પહેલા જ ફુંટી ગયા છે.
પાટીલના કાર્યકરોને નોકરીની વાત બાદ પેપર ફૂટ્યું: શર્મા
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગૌણ સેવા પસંદગી મંડળા ચેરમેન અતિત વોરા પર પ્રહાર કરતા કહ્યું હતું કે અસિત વોરાએ તો સ્પષ્ટ જણાવ્યું હતું કે પેપર લીક થયું નથી, તો ધરપકડ થઈ એ ગુનેગાર છે કે અન્ય એ સ્પષ્ટ થઈ જવું જોઈએ. રઘુ શર્માએ અસિત વોરાને લઈને નિવેદન આપતા કહ્યું કે ખરા અર્થમાં ગુનેગાર જ પરીક્ષાના આયોજકો છે, પહેલા તો અસિત વોરાએ રાજીનામું આપી દેવું જોઈતું હતું પરતું ભાજપ સરકારે તેમને બજાવી રહી છે. રઘુ શર્માએ ભાજપ પ્રદેશ પ્રમુખ પર નિવેદન આપતા કહ્યું કે પાટીલના કાર્યકરોને નોકરીની વાત બાદ પેપર ફુટ્યું છે. શું પાટીલ આવી રીતે કાર્યકરોને રોજગારી આપવા માગે છે? પ્રદેશ અધ્યક્ષને તેમ સવાલ પણ કર્યો હતો.