સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે.
સેનામાં ભરતીના નિયમો મોદી સરકારે બદલ્યા
દેશભરમાં ચાલી રહ્યો છે વિરોધ પ્રદર્શન
યુપીમાં યુવાનોએ બસને ફંગોળી નાખી
સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. યોજનાના વિરોધમાં બિહાર અને યુપીમાં ઉગ્ર આંદોલન થઈ રહ્યા છે. બિહારમાં જ્યાં યુવાનો ગુસ્સે થઈને ટ્રેનના ડબ્બા સળગાવી રહ્યા છે, તો વળી રસ્તામાં ચક્કાજામ કરીને ગાડીઓમાં તોડફોડ પણ કરી રહ્યા છે. રાજ્યના બેતિયામાં પ્રદર્શનકારીઓએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા રેણુ દેવી તથા રાજ્યમાં ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલના ઘર પર હુમલાઓ કર્યા હતા. યુપીના આગરામાં વિરોધ બીજા દિવસે પણ ચાલુ છે. પ્રદર્શનકારીઓએ આજે આગરા-ગ્વાલિયર-મુંબઈ માર્ગ પર ઉત્પાત મચાવીને રોડ જામ કર્યો હતો. આ દરમિયાન પોલીસની ગાડી પર પથ્થરમારો પણ કર્યો હતો. બનારસ રોડવેઝ બસ સ્ટેન્ડમાં સવારે યુવાનોએ તોડફોડ કરી હતી. યમુના એક્સપ્રેસ વે પર અગ્નિપથના વિરોધમાં અમુક લોકએ બસને ફંગોળી નાખી હતી. વાયરલ વીડિયોમાં આપ બસને કેવી રીતે ફંગોળી રહ્યા છે તે જોઈ શકશો.
दिल्ली आगरा .. यमुना एक्सप्रेस वे पर टप्पल के पास प्रदर्शनकारियों ने कई बसों में तोड़फोड़ कर आगज़नी की … बस को पलटते हुए प्रदर्शनकारी @ndtv pic.twitter.com/5UrQ0JgjaV
યુપીના મથુરા અને આગરામાં પણ વિદ્યાર્થીઓએ NH 2 જામ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને પરિસ્થિતિ કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો અને ટિયર ગેસના ગોટા પણ છોડવા પડ્યા હતા. મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને તેલંગણામાં પણ વિરોધ પ્રદર્શનો ચાલું છે. લક્ષ્મીબાઈ નગર સ્ટેશન પર 300થી વધારે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન પથ્થરમારો પણ કર્યો હતો. આ તમામની વચ્ચે કેન્દ્રએ દેશવ્યાપી વિરોધની વચ્ચે ગુરૂવારે અગ્નિપથ સેન્ય ભરતી યોજના માટે વય મર્યાદા 21થી વધારીને 23 કરી દીધી છે.