ગુજરાતમાં 6 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી છે. અને MSMEના અધિકારીની બદલી કરી દેવાઈ છે.
6 હજાર કરોડના કોલસા કૌભાંડનો મામલો
રાજ્ય સરકારે કૌભાંડ અંગે કરી શરૂ તપાસ
MSME કમિશનર રણજિત કુમારની બદલી
ગુજરાતમાં તાજેતરમાં 6000 કરોડ રૂપિયાનું કૌભાંજ સામે આવ્યા બાદ ગુજરાત સરકાર એકા એક એકશનમાં આવી ગઈ છે. સરકારે ગુજરાતના લઘુ ઉદ્યોગો માટે આવતાં કોલસા અંગે નિયંત્રણ કરી રહેલા MSMEના કમિશનર અને IAS રણજિત કુમારની બદલી કરી દીધી છે.
ઉદ્યોગ કમિશનર અને અધિકારીઓ સામે તપાસ કરાશે
સૂત્રોના જણાવ્યા અનુસાર કોલસા કૌભાંડના મામલામાં IAS અધિકારી રણજિતકુમાર સામે પ્રથમ દ્રષ્ટિએ બેદરકારીનો કેસ બનતો હોવાથી તેમની બદલી કરી દેવાઇ છે. હવે તેઓ ગુજરાત સરકારના બોર્ડ નિગમોના વાર્ષિક અહેવાલોની જાળવણી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ આ કૌભાંડને લઇને ઉદ્યોગ વિભાગ તપાસ ચલાવી રહ્યો છે. જેમાં આ મામલે ઉદ્યોગ કમિશનર અને વિભાગમાં કામ કરી ચૂકેલા તમામ અધિકારીઓની તેમાં કોઇ ભૂમિકા હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે. તમામ કસૂરવારો સામે આકરાં પગલાં પણ લેવાશે.
ગુજરાતમાં કોલસા કૌભાંડ ?
સરકારે વર્ષ 2007માં કોલસા અંગે નીતિ બનાવી હતી અને 2008માં તે નીતિને લાગૂ કરી દેવાઇ હતી. જેમાં લઘુ ઉદ્યોગોને સસ્તા ભાવે કોલસો કોલ ઇન્ડિયાના માધ્યમથી આપવાનો હતો. જેમાં દર મહિને વેસ્ટ કોલ ફિલ્ડ અને સાઉથ ઇસ્ટ કોલ ફિલ્ડથી ઓર્ડરના હિસાબે કોલસાનો જથ્થો મોકલાતો હતો. જેને સરકાર લાભાર્થી ઉદ્યોગની યાદી એજન્સી મારફતે મોકલે છે. જેની તમામ માહિતી કોલ ઇન્ડિયાને મોકલવાની હોય છે. જો કે, કોલ ઇન્ડિયાને મોકલાયેલી તમામ માહિતી ખોટી હોવાનું સામે આવ્યું હતું.
દક્ષિણ ગુજરાતના વેપારીઓ સરકારની કોલસા નીતિથી અજાણ
મહત્વનું છે કે, ગુજરાતમાં ચાર જેટલી એજન્સી કાર્યરત છે. જેમાં કાઠિયાવાડ કોલ કોક કન્ઝ્યુમર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશનને લઈને દાવો કરવામાં આવ્યો હતો કે, આ એજન્સીનું સરનામું ખોટું છે. બાદમાં તપાસમાં માલૂમ પડ્યું કે, કાઠિયાવાડ એજન્સીનુ સરનામું ખોટુ હોવાનું સામે આવ્યું હતું. તેમજ સૌરાષ્ટ્ર બ્રિકવેટિંગના એડ્રેસ પર ટ્રાવેલ એજન્સીની ઓફિસ ચાલી રહી છે.
કેવી રીતે કોલસા કોંભાડ થયું ?
ગુજરાતના નાના ઉદ્યોગને આપવાનો કોલસો બારોબાર વેચવામાં આવ્યો હતો.આમ છેલ્લા 10 વર્ષમાં રૂ 6000 કરોડનો કોલસો બારોબાર પધરાવી દેવાયો છે. જેમાં ગુજરાતમાં ચાર એજન્સીને કોલસાની ફાળવણીનું કામ અપાયું હતું. જેમાં સાઉથ ગુજરાત ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ગુજરાત કોક કોલ ટ્રેડર્સ એન્ડ એસોસીયન,ન્યુ સૌરાષ્ટ બ્રીકેટીંગ એજન્સી, કાઠિયાવાડ કોક એન્ડ કોલ કન્જ્યુમર્સ ટ્રેડ્ર્સ એસોશીયસ,આ ચારેય એજન્સી અને ઉદ્યોગ વિભાગની મિલીભગતથી કૌભાંડ આચરાયું હતું. જેમાં ગુજરાતમાં નાના ઉદ્યોગને આપવાનો કોલસો મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશમાં જતો હતો. તેમજ જે ઉદ્યોગ આઠ કલાકની સિફ્ટમાં ચાલતો હતો તેને 24 કલાક બતાવાતો હતો આ સાથે રોકડ વ્યવહાર અને ખોટા જીએસટી નંબર પર કૌંભાડીઓ વહીવટ કરતા હતા