બાબા રામદેવે ફરી વાર આઈએમએ અને ફાર્મા કંપનીઓને 25 સવાલ પૂછ્યા છે તો સામે પક્ષે આઈએમએ બાબા રામદેવની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બાબા રામદેવે કોરોના વોરિયર ડોક્ટરોની ઉડાવી મજાક
કોરોનાની બન્ને વેક્સિન લીધી છતાં હજાર ડોક્ટરોના મોત થયા-બાબા રામદેવ
આઈએમએ ઉત્તરાખંડ સીએમ પાસે બાબા રામદેવની ધરપકડની માંગ કરી
આ વખતે બાબાએ IMA અને ફાર્મા કંપનીઓને 25 સવાલ પૂછ્યા તથા કોરોના વોરિયર ડોક્ટરોની મજાક પણ ઉડાવી.
બાબા રામદેવ યોગ શિબિરમાં એક યુવાન સાથેની વાતચીતનું ઉદાહરણ આપતા ડોક્ટર પર ટર... ટર કહીને કટાક્ષ કર્યો. વીડિયોમાં બાબા રામદેવે દાવો કર્યો કે કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં 1 હજાર ડોક્ટર મરી ગયા. રામદેવે જણાવ્યું હવે તમે જણાવો કે મને કહો કે તે ડોક્ટરો પોતાની જાતને કેમ ન બચાવી શક્યા.
बैकग्राउंड में लगी तस्वीर देखिये, और
इस फर्जी व्यापारी की जहरीली बात सुनिए
વિધાઉટ એની ડીગ્રી ઓર ડિગ્નીટી આઈ એમ એ ડોક્ટર
બાબા રામદેવ વીડિયો કહી રહ્યાં છે કે ડોક્ટર બનવું હોય તો બાબા રામદેવ જેવા બનો જેમની પાસે કોઈ ડીગ્રી નથી અને બધાના ડોક્ટર છે. વિધાઉટ એની ડીગ્રી ઓર ડિગ્નીટી આઈ એમ એ ડોક્ટર.
IMA અને ફાર્મા કંપનીઓને 25 સવાલ પૂછ્યાં
મેડિકલ સારવાર પર ફરી સવાલ ઉઠાવતા બાબા રામદેવે ઈન્ડીયન મેડિકલ એસોસિએશન અને ફાર્મા કંપનીઓને ઓપન લેટર લખીને 25 સવાલ પૂછ્યાં. રામદેવે જણાવ્યું કે જો એલોપેથી સર્વશક્તિમાન અને સર્વગુણ સંપ્પન હોય તો પછી એલોપેથીના ડોક્ટર બીમાર ન પડવા જોઈએ. બાબા રામદેવે બીપી, ટાઈ-1, ડાયાબિટીસ, થાઈરોડ જેવી ઘણી બીમારીઓ અંગે સવાલ પૂછ્યાં કે શું તેમની પાસે આનો કાયમી ઉપાય છે.
मैं इंडियन मेडिकल एसोसिएशन व फार्मा कंपनियों से विनम्रता के साथ सीधे 25 सवाल पूछता हूँ- pic.twitter.com/ATVKlDc9tl
બાબા રામદેવે આ રોગનો ઈલાજ છે એલોપેથી પાસે
બાબા રામદેવે જણાવ્યું કે એલોપેથીની પાસે ફેટી લિવર, લીવર સોરાયસિસ, હેપેટાઈસિટની સારવાર માટે કઈ દવા છે ? ફાર્મા ઈન્ડસ્ટ્રીઝમા હાર્ટના બ્લોકેજને અટકાવવાનો કોઈ ઉપાય છે. બાયપાસ વગર, ઓપરેશન વગર એન્જિયોપ્લાસ્ટીનો કાયમી ઉપચાર છે.