સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને સંચાલિત કરનારી કંપની ફેસબુકના ચાર મોટા શેરધારકોએ સીઈઓ માર્ક ઝુકરબર્ગને કંપનીના ચેરમેન પદેથી હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કેટલાય મોટા વિવાદિત ઘોટાળા સામે આવ્યા બાદ આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
ફેસબુક કંપનીના શેરધારકોએ જ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેથી તેમને અન્ય મોટા મોટા એસેટ મેનેજરોનું સમર્થન મળે એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં પણ આ પ્રકારનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો પણ તે પ્રસ્તાવને રદ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ફેસબુકમાં માર્ક ઝુકરબર્ગનો 60 ટકા ભાગ છે. તો રોડ આઈલેન્ડ સ્ટેટ ટ્રેઝરર સેત મેગજિનરે જણાવ્યું કે આ પ્રસ્તાવ ફેસબુકની સમસ્યા અને તેના સમાધાન માટે છે. અમને આ વાર્ષિક બેઠકમાં આ મુદ્દે સંવાદ કરવાની અનુમતિ મળશે. તો ફેસબુકની એક પ્રવક્તાએ આ ટિપ્પણીનો ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે કેમ્બ્રીજ એનાલીટીકા દરમિયાન 8 કરોડ 70 લાખ યુઝર્સનો ડેટા લીક થયો હતો.