પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણી આપીને ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. આ બાબતનો મોટો ખુલાસો મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે કર્યો મોટો દાવો
નૂપુર શર્મા 3 દિવસથી ગુમ
નોટિસ આપ્યા બાદ શોધી રહી છે પોલીસ
મહારાષ્ટ્રની મુંબઈ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભાજપમાં હટાવી દેવાયેલા નૂપુર શર્માને નોટિસ આપ્યા બાદ છેલ્લા ચાર દિવસથી તેમની કોઈ ભાળ મળતી નથી. 11 જૂનના રોજ નૂપુર શર્માને મુંબઈના પાઈધોની પોલીસ સ્ટેશને 25 જૂનના રોજ પોલીસની સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે, નૂપુર શર્મા ચાર દિવસથી ગુમ છે. નૂપુર શર્માએ એક ટીવી ડિબેટમાં પયગંબર મહોમ્મદ વિરુદ્ધ આપેલી ટિપ્પણી મામલે પાઈધોની પોલીસ સ્ટેશનમાં તેનું નિવેદન નોંધવાનું હતું.
મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે, નૂપુરને નોટિસ આપવા પહોંચેલી ટીમ છેલ્લા ચાર દિવસથી શોધી રહી છે. હકીકતમાં મુંબઈની પાઈધોની પોલીસે 29 મેના રોજ નૂપુર શર્મા વિરુદ્ધ રઝા અકાદમીના મુંબઈ વિંગના સંયુક્ત સચિવ ઈરફાન શેખની ફરિયાદ બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. ભાજપમાંથી હટાવી દેવાયેલા પ્રવક્તા વિરુદ્ધ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા, દુશ્મની વધારવા અને સાર્વજનિક હરકતો કરવા મામલે ફરિયાદ નોંધી હતી.
નૂપુર શર્મા ચાર દિવસથી ગુમ
ઝારખંડની રાજધાની રાંચીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન બે લોકોના મોત થઈ ગયા હતા. હિંસા દરમિયન કેટલાય વાહનોને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં પણ કેટલાય પોલીસ સ્ટેશનમાં નૂપુર શર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે તેનું નિવેદન નોંધવા માટે તેને હાજર કરવા માગે છે. મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે, નોટિસ માટે પોલીસની ટીમ નૂપુર શર્માને છેલ્લા ચાર દિવસથી શોધી રહી છે. પણ તેની કોઈ ભાળ મળતી નથી. પોલીસે દાવો કર્યો છે કે, નૂપુર શર્મા ચાર દિવસથી ગુમ છે.