ટેરર ફંડિંગ મામલે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતાં અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. લશ્કરના ચીફ હાફિઝ સઈદના પૈસાથી બનાવેલી અલગતાવાદી નેતાઓની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે. ટેરર ફંડિંગ મામલામાં સામેલ 11 અલગતાવાદી નેતાઓ સરકારના નિશાને છે.
આ નેતાઓ પર આતંક ફ્ંડિંગ દ્વારા કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવવાનો આરોપ છે. જેમાં અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈ પણ સામેલ છે. ISI અને પાકિસ્તાઈન હાઈ કમિશનના અધિકારીઓ દ્વારા દુબઈથી હવાલા ફંડિંગના માધ્યમથી આતંક માટે ફંડિંગ કરવામાં આવ્યું હતું.
આ 11 અલગતાવાદીઓમાં સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈ અલ્તાફ ફંટૂશ, નઈમ અહેમદ ખાન, ફારુક અહેમદ ડાર ઉર્ફ બિટ્ટા કરાટે, શહીદુલ અસ્લામ, પાકિસ્તાનમાં રહેતા હિઝબુલ ચીફ સૈયદ સલાઉદ્દીન, અકબર ખંડી, રાજા મેહરાજુદ્દીન, પીર સૈફુલ્લા, જહૂર અહેમદ વટાલીનું નામ સામેલ છે. મહત્વનું છે કે આ મામલે NIAએ સૈયદ અલી શાહ ગિલાનીના દીકરા નસીમ ગિલાની અને મીરવાઈઝર ઓમર ફારુકની પૂછપરછ કરી હતી.
જે બાદ અલગતાવાદીઓની સંપત્તિ પર સકંજો કસવાનો નિર્ણય લેવાયો હતો. મહત્વનું છે કે કશ્મીરમાં આતંકવાદ પર સકંજો કસવા માટે અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ટેરર ફંડિગ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) જમ્મૂ-કાશ્મીરમાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના દિકરા નસીમ ગિલાની અને મીરવાઇઝ ઉમર ફારૂકની પહેલા પુછપરછ કરી ચુકી છે.
ટેરર ફંડિંગ મામલે મોટી કાર્યવાહી કરતાં સરકારે અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. લશ્કરના ચીફ હાફિઝ સઈદના પૈસાથી બનાવેલી અલગતાવાદી નેતાઓની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે.