કુલ મળીને 8,089 પદો પર પ્રમોશન થવા જઈ રહ્યું છે જેમાં 727 અનુસૂચિત જાતિ અને 207 અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. સાથે જ 5,032 અનારક્ષિત પદ છે.
કેન્દ્રીય સચિવાલયમાં પ્રમોટ થવાવાળા અધિકારીઓની સંખ્યા 4,734 છે
આવું મોટું પ્રમોશન છેલ્લે વર્ષ 2019માં કરવામાં આવ્યું હતું
કુલ મળીને 8,089 પદો પર પ્રમોશન થવા જઈ રહ્યું છે
કેન્દ્ર સરકારે એકજ વારમાં ત્રણ કેન્દ્રીય સચિવાલય કૈડરો એ 8000થી વધુ કર્મચારીઓના પ્રમોશનને લઈને એક આદેશ આપ્યો છે. આ આદેશ કેન્દ્ર સરકારને મોટાં પ્રમોશનના આદેશોમાંથી એક બની ગયો છે. અધિકારીઓ એ જણાવ્યું હતું કે કર્મીક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે શુક્રવારે સરકારના આ આદેશનું એલાન કરવામાં આવશે. મળતી જાણકારી મુજબ ડાયરેક્ટરના પદ પર 327 પ્રમોશન થવા જઈ રહ્યા છે. ડીપ્ટી સેક્રેટરીના પદ પર 1097 અને સેકશન ઓફિસરના પદ પર 1472 પ્રમોશન કરવામાં આવશે. આ બધી કેન્દ્રીય સચિવાલય સેવા સાથે સંબધિત છે. કેન્દ્રીય સચિવાલયમાં પ્રમોટ થવાવાળા અધિકારીઓની સંખ્યા 4,734 છે. આ મોટું પ્રમોશન કેન્દ્રીય સચિવાલયના ક્લરીકલ સર્વિસ અને કેન્દ્રીય સચિવાલય સ્ટેનોગ્રાફર સર્વિસ, પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર, ક્લર્ક અને બીજા પદો પર કામ કરનાર અધિકારી શામેલ છે.
કેન્દ્રીય સચિવાલય સર્વિસ પ્રશાસનિક સિવિલ સેવાઓમાંથી એક છે, ત્યાં ગ્રુપ એ અને બી પદો પર કામ કરવાવાળ કર્મચારીઓ હોય છે. આ કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોમાં પ્રશાનિક કાર્યો કરે છે. ત્યાં કામ કરતાં દરેક અધિકારીનું સિલેક્શન સંઘ લોક સેવા આયોગ દરમિયાન આયોજિત પરીક્ષા દ્વારા કરવામાં આવે છે, આવું મોટું પ્રમોશન છેલ્લે વર્ષ 2019માં કરવામાં આવ્યું હતું. એ સમયે કુલ 4000 અધિકારિઓનું પ્રમોશન કરવામાં આવ્યું હતું.
આ વખતે થવા જનાર પ્રમોશનમાં કેન્દ્રીય સચિવાલય સ્ટેનોગ્રાફર સર્વિસના 157 પ્રિન્સિપલ સ્ટાફ કર્મચારી, 153 સિનિયર પ્રિન્સિપલ પ્રાઇવેટ સેક્રેટરી અને 1208 પ્રિન્સિપલ પ્રાઇવેટ સેક્રેટરી શામેલ છે. આ સર્વિસમાં પ્રમોટ થવાવાળા કુલ અધિકારીની સંખ્યા 2966 છે. કુલ મળીને 8,089 પદો પર પ્રમોશન થવા જઈ રહ્યું છે જેમાં 727 અનુસૂચિત જાતિ અને 207 અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. સાથે જ 5,032 અનારક્ષિત પદ છે.