મોદી સરકારે સંસદના ચોમાસુ સત્રમાં ઈલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બીલ, 2021 રજૂ કરવા જઈ રહી છે. આ સુધારો થયા બાદ ગ્રાહકો પોતાની પસંદગીની વીજ કંપનીની સેવા લઈ શકશે.
ચોમાસુ સત્રમાં ઈલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બીલ રજૂ કરશે મોદી સરકાર
ગ્રાહકો પોતાની પસંદગીની વીજ કંપનીની સેવા લઈ શકશે.
વીજળી કંપનીઓની વચ્ચે સ્પર્ધા વધશે
તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે
નવા સુધારિત કાયદા અનુસાર, ગ્રાહકો હવે મોબાઈલના સીમ કાર્ડની જેમ જ વીજ કનેક્શન પણ બદલાવી શકશે. લોકો જે રીતે મોબાઈલ નંબર બદલ્યા વગર બીજા ઓપરેટ સાથે જોડાઈ શકે છે તેવી રીતે ગ્રાહકો પણ પોતાની પસંદગીની વીજ કંપનીનું જોડાણ લઈ શકશે. આવું થયા બાદ વીજળી કંપનીઓની વચ્ચે સ્પર્ધા વધી જશે અને તેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે.
સંસદના ચોમાસુ સત્રમાં ઈલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બીલ રજૂ કરવાની સરકારની યોજના
સંસદના ચોમાસુ સત્રમાં જે 17 બીલ રજૂ કરવાની સરકારની વિચારણા છે તેમાં ઈલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બીલ પણ સામેલ છે જો આવું થશે તો વીજ વિતરણ સેક્ટરમાં એક મોટો સુધારો થશે. જે ઉપભોક્તાઓને એક મોટી તાકાત આપશે. જાન્યુઆરીમાં Electricity Amendment Bill નો ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો.
12 જુલાઈ 2021 ના દિવસે જારી લોકસભા બુલેટિને અનુસાર, નવા સુધારિત વીજળી કાયદો લાગુ થયા બાદ પાવર ડિસ્ટ્રીબ્યુશનથી માંડીને લાઈસન્સિંગ પણ સમાપ્ત થશે અને તેમાં પ્રતિસ્પર્ધા આવશે. તે ઉપરાંત કાયદા પ્રમાણે અપીલીય ટ્રીબ્યુનલ પણ મજબૂત થશે અને નવીનીકરણ ખરીદી પ્રતિબદ્ધતા પૂર્ણ ન કરવા પર દંડની પણ જોગવાઈ હશે.
ગ્રાહકો પોતાની પસંદગીની વીજ કંપનીની સેવા લઈ શકશે
આ કાયદામાં સુધારો થયા બાદ ગ્રાહકો પોતાની પસંદગીના સર્વિસ પ્રોવાઈડર્સની સેવા લઈ શકશે. હાલમાં જોઈએ તો કેટલીક સરકારી અને પ્રાઈવેટ કંપનીઓનો જ દબદબો છે. અત્યાર સુધી તો ગ્રાહકોને પોતાની પસંદગીની વીજ કંપનીની સેવા લઈ શકતા નથી.
વીજળી કાપી તો વળતર ચુકવવું પડશે
આ ફેરફાર બાદ ગ્રાહકો સૌથી સારી અને સસ્તી વીજ સેવાનો પણ લાભ લઈ શકશે. સરકારના આ બીલમાં ગ્રાહકોને વધારે શક્તિશાળી બનાવાયા છે. જો કોઈ કંપની જણાવ્યા વગર વીજ પુરવઠો બંધ કરે તો તેણે ગ્રાહકોને વળતર આપવું પડશે. નિયત સમયમર્યાદા કરતા વધારે સમય સુધી વીજળી કાપી તો પણ કંપનીઓએ ગ્રાહકોને વળતર આપવું પડશે.