ભારતે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે હજી પણ લદ્દાખ (Ladakh)માં વાસ્તિવક નિયંત્રણ રેખા (LaC) પર સેનાઓની પીછેહઠની પ્રક્રિયાઓ પુરી થઇ નથી. ખરેખર તો ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે બંને દેશોની સેનાઓને ત્રણ જગ્યા - ગલવાન ઘાટી, હૉટ સ્પ્રિંગ્સ અને કોંકા પાસ પર ડિસઇંગેજમેંટ પુરુ કરી લીધું છે અને માત્ર પેંગાંગ લેકમાં સેનાનું પીછેહઠ બાકી રહ્યું છે. પરંતુ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવએ એક સવાલના જવાબમાં કહ્યું કે સંપૂર્ણ રીતે પીછેહઠની સહમતિ પર કેટલુંક કામ થયું છે પરંતુ આ પ્રક્રિયા પુરી થઇ નથી.
અનુરાગ શ્રીવાસ્તવે એકવાર ફરી બંને દેશો વચ્ચે થયેલ સૈન્ય અને કૂટનીતિક વાતચીત યાદ કરાવી અને કહ્યું કે સરહદ પર શાંતિ દ્વિપક્ષીય સંબંધોના આધાર પર છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા આવેલી કેટલીક ખબરોમાં ચીને કથિત રીતે દાવો કર્યો હતો કે ફ્રંટલાઇન પરથી બંને દેશોના સૈનિકોએ પીછેહઠની કવાયત સરહદ પરના મોટાભાગના સ્થાનો પર પૂરી થઇ ગઇ છે. ચીનને એમ પણ કહ્યું હતું કે જમીન પર સ્થિતિ સામાન્ય થઇ રહી છે.
અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે બંને સેનાઓના વરિષ્ઠ કમાંડર નજીકના ભવિષ્યમાં બેઠક કરશે જેથી પીછેહઠની પ્રક્રિયાને પુરી કરવાની દિશામાં પગલા અંગે ચર્ચા કરી શકાય. શ્રીવાસ્તવે કહ્યું કે જેમ કે અમે પહેલા જ કહી દીધું કે સરહદી વિસ્તારમાં શાંતિ બનાવી રાખવા આપણા દ્વિપક્ષીય સંબંધનો આધાર છે.