કોરોના વાયરસને લઇને દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશમાં પાન-મસાલાનું વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર, રાજ્યમાં આગામી આદેશ સુધી પાન-મસાલાનું વેચાણ અને ઉત્પાદન કરી શકાશે નહીં.
કોરોનાના કહેર વચ્ચે યોગી સરકારનો મોટો નિર્ણય
પાન-મસાલાના વેચાણ કે ઉત્પાદન પર પ્રતિબંધ
આદેશનું પાલન નહીં કરનાર સામે થશે કાર્યવાહી
આ પહેલા યોગી સરકારે 25 માર્ચથી 27 માર્ચ સુધી તમામ જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી હતી અને જરૂર લાગશે તો કરફ્યું પણ લગાવવામાં આવી શકે છે ત્યારે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા 350 લોકો સામે FIR નોંધવામાં આવી ચૂકી છે.
લોકડાઉનમાં સહયોગ નહીં આપનારા લોકો સામે થશે કાર્યવાહી
આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશની તમામ આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય સરહદને સમગ્ર રીતે સીલ કરવામાં આવી છે અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે આદેશ આપ્યા કે લોકડાઉનમાં સહયોગ નહીં કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Production, distribution and sale of pan masala banned in the entire state until further orders: Government of Uttar Pradesh pic.twitter.com/QP0LAUKv5v
યોગીએ લોકડાઉન અસરકારક રીતે લાગુ કરવાના આદેશ આપતા કહ્યું કે, સહયોગ નહીં કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ઉત્તર પ્રદેશને પણ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદોને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવે જેથી લોકડાઉન દરમિયાન બિનજરૂરી પરિવહન રોકવામાં આવી શકે. આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 33 કેસ સામે આવી ચૂક્યા છે.