સુશાંત સિંહ રાજપૂતના નિધનથી તેના ફેન્સને બહુ મોટો ઝટકો લાગ્યો હતો. બોલિવૂડમાં પણ એકબીજા પર દોષારોપણ અને આઉટસાઈડર્સ સાથે ખરાબ વ્યવહાર પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સુશાંતનો મિત્ર અને પ્રોડ્યૂસર સંદીપ સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સુશાંતની મોત બાદ કેટલાક પાવરફુલ લોકોને અંતિમ સંસ્કારમાં ન બોલાવવા પર ડ્રામા ક્રિએટ કરવામાં આવ્યો હતો.
આટલા દિવસ બાદ પણ સુશાંતના નિધનથી તેના ફેન્સ આઘાતમાં
ત્યારે એક પછી એક નિવેદનો આવી રહ્યાં છે
હવે સુશાંતના નજીકના મિત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો
A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on
સંદીપ સુશાંતની ઘણી નજીક હતો. તેણે જણાવ્યું કે, સુશાંતની મોત બાદ એકતા કપૂરને આ વિવાદમાં ઢસડવામાં આવી છે. જ્યારે તે તો સુશાંતના અંતિમ સંસ્કારમાં હાજર રહી હતી. સંદીપના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા કપૂર, રણદીપ હુડ્ડા સહિતના ઘણાં કલાકારો વરસતા વરસાદમાં પણ સુશાંતના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. સંદીપે આગળ કહ્યું કે, સુશાંતની મોત બાદ મીડિયા અને તેના ફેન્સે જે આક્ષેપ-પ્રતિઆક્ષેપની રમત શરૂ કરી છે. તે જોઈને દુઃખ થાય છે. લોકો એ પણ નથી વિચારતા કે તેના પરિવાર પર શું વિતી રહી હશે.
સંદીપે એવું પણ કહ્યું કે, સુશાંતના કરિયરને લઈને મીડિયામાં જે સમાચારો આવી રહ્યાં છે તે ખોટાં છે. તેણે કહ્યું કે સુશાંતના હાથમાંથી ફિલ્મો જતી રહી, તેનું રિલેશનશિપ સ્ટેટસ અને તેની પાસે રૂપિયા નહોતા આ તમામ દાવા ખોટા છે.
A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on
બાળકોને મુંબઈ મોકલતા ડરી રહ્યાં છે લોકો
સંદીપે જણાવ્યું કે, આઉટસાઈડર હોવા છતાં તેણે યશરાજ ફિલ્મ્સ, ધર્મા પ્રોડક્શન્સ ઉપરાંત બે ફિલ્મો અભિષેક કપૂર સાથે કરી હતી. તેણે નીરજ પાંડે સાથે પણ ફિલ્મ કરી છે અને રમેશ તોરાની અને રુમી જાફરી સાથે કામ કરવાનો હતો. સંદીપે કહ્યું કે, લોકો તેને મેસજ કરીને કહી રહ્યા છે કે તેઓ પોતાના બાળકોને મુંબઈ નહીં મોકલે. તેઓ ડરી ગયા છે અને તેમને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.