લગભગ 20 વર્ષ પહેલા એક ફિલ્મ માટે સની દેઓલે માર્કેટ રેટથી વધુ ચાર્જ લઈને ફિલ્મ કરવા માટે ના કહી દીધી હતી. અને એ પછી પૈસા પણ પાછા નહતા આપ્યા.
પ્રોડ્યુસરે સની દેઓલ પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ
ફિલ્મના શૂટિંગની વચ્ચે સની દેઓલ લંડન ચાલ્યા ગયા
સની દેઓલ પછી આ ફિલ્મ અક્ષય કુમારે કરી હતી
બૉલીવુડના અભિનેતા સની દેઓલને એક્શન હીરો તરીકે આપણે બધા ઓળખી છીએ. દરેક ફિલ્મમાં તેના અઢી કિલોના હાથ અને ભારે ભરખમ ડાયલોગ અને એક્શન વડે એ દરેક લોકોનું દીલ જીતતા આવ્યા છે. તાજેતરમાં સની દેઓલ તેની આવનારી ફિલ્મ ગદર 2 નું શૂટિંગ કરી રહ્યા છે. એવામાં પ્રોડ્યુસર સુનિલ દર્શને તેમના પર એક ગંભીર આરોપ લગાવ્યો છે. પ્રોડ્યુસર સુનિલ દર્શને તેમના પર છેતરપિંડીનો આરોપ લગાવતા કહ્યું હતું કે લગભગ 20 વર્ષ પહેલા એક ફિલ્મ માટે સની દેઓલે માર્કેટ રેટથી વધુ ચાર્જ લઈને ફિલ્મ કરવા માટે ના કહી દીધી હતી. અને એ પછી પૈસા પણ પાછા નહતા આપ્યા.
પ્રોડ્યુસરે લગાવ્યો છેતરપિંડીનો આરોપ
એક ઇંટરવ્યૂ દરમિયાન પ્રોડ્યુસર સુનિલ દર્શને જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગની વચ્ચે સની દેઓલ લંડન ચાલ્યા ગયા હતા અને પછી પાછા નહતા આવ્યા અને એટલા માટે એ લોકો ફિલ્મને સારી રીતે પૂરી નહતા કરી શક્યા અને સારા એન્ડીંગ વિના જ એમને એ ફિલ્મ રિલીઝ કરવી પડી હતી. એમને આગળ જણાવ્યું હતું કે, ' સનીએ મને કહ્યું હતું કે હું એમના કરિયરને ઘણા આગળના લેવલ પર લઈ જવા માટે મદદ કરું અને એટલા માટે મેં મારા એક વર્ષનું યોગદાન પણ આપ્યું હતું અને સાથે જ મએ મારી આવનારી ફિલ્મમાં તેને કામ પણ આપ્યું હતું. પણ સની દેઓલે એક પણ જવાબદારી સારી રીતે ન નિભાવી.'
એ સમયે સની દેઓલે ફિલ્મમાં કામ કરવાની ના કહેતા એમ કહ્યું હતું કે પ્રોડ્યુસરે ફિલ્મના વિષય પર કામ કરવાની જરૂર છે. આ પછી સુનીલને લાગ્યું કે કદાચ સનીનો ઇરાદો જ ખરાબ છે. જે ફિલ્મ વિશે વાત થઈ રહી છે એ છે જાનવર. સની પછી આ ફિલ્મ અક્ષય કુમારે કરી હતી અને ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
He had all the happiness but then the journey of life took away his happiness and he was left with hate anger and vengeance. But Soorya found a purpose. #Sooryapic.twitter.com/4qjUa2gvIm
હાલ સની દેઓલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની દેઓલ ટૂંક સમયમાં ફિલ્મ 'ચુપઃ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ'માં જોવા મળશે, આ ફિલ્મનું નિર્દેશન આર બાલ્કીએ કર્યું છે. આ સિવાય સની દેઓલ ફિલ્મ 'ગદર 2'માં પણ કામ કરી રહ્યો છે.