છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી કોરોના મહામારીનો સામનો આખી દુનિયા કરી રહી છે. ક્યારે બધા જ લોકો ઇચ્છે છે કે તે નિરોગી રહે તો આ એક ઉપાયથી તમે નિરોગી રહેશો.
કોરોનાકાળમાં આ ઉપાયથી રહેશો નિરોગી
રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરો
સ્વાસ્થ્ય સાથે અન્ય ફાયદા પણ થશે
ઇમ્યૂનિટી વધારો
પોતાના સ્વાસ્થ્યને લઇને લોકો સચેત થઇ ગયા છે. ઇમ્યૂનિટી એટલે કે રોગો સામે લડવાની ક્ષમતા જેટલી વધારે તમે એટલા જ નિરોગી રહેશો. શાસ્ત્રોમાં પણ એક રીત બતાવવામાં આવી છે અને તે છે સૂર્યને એક લોટો જળ ચડાવવું.
સૂર્યને જળ ચડાવવાના ઘણા ફાયદા
સૂર્ય દેવને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે કારણકે રોજ તેમના દર્શન થાય છે. સનાતન કાળથી સૂર્યને જળ ચડાવવામાં આવે છે. વેદો અને પુરાણોમાં પણ સૂર્યને જળ ચડાવવાના ફાયદા બતાવવામાં આવ્યા છે.
સ્વાસ્થ્યને લાભ
સૂર્યને સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત માનવામાં એવે છે. સૂર્યની કિરણો શરીરમાં હાજર બેક્ટેરિયાને દૂર કરવામાં અને નિરોગી બનાવવામાં મદદ કરે છે. ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સૂર્યને આત્માનો કારક માનવામાં આવ્યો છે માટે એક લોટો જળ ચડાવવાથી આત્મબળ પ્રાપ્ત થાય છે.
દિવસ દરમિયાન ફ્રેશ રહેશો
સૂર્યને નિયમિત રીતે જળ ચડાવવાથી સૂર્યનો પ્રભાવ શરીરમાં બનેલો રહેશે. તે તમને ઉર્જાવાન બનાવશે અને આખો દિવસ ફ્રેશ રહેશે.
તરક્કી અને સન્માનની પ્રાપ્તિ
જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો સૂર્ય જ તે ગ્રહ છે જે તમને માન સન્માન અપાવે છે. એવામાં જો તમારી નોકરી સાથે જોડાયેલી કોઇ સમસ્યા હશે તો નિયમિત રીતે જળ ચડાવવાનુ શરૂ કરો જેનાથી તમારુ સન્માન વધશે અને ઉંચા પદની પ્રાપ્તિ થશે.
કુંડળી દોષ દૂર થશે
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિની કુંડળીમાં દોષ હોય છે તેને દરરોજ સૂર્યને જળ ચડાવવુ જોઇએ. જેનાથી તમારો દોષ દૂર થશે.
સૂર્યને જળ ચડાવવાની યોગ્ય રીત
સૂર્યને યોગ્ય રીતે જળ ચડાવવાની પણ એક રીત હોય છે. સૂર્ય ઉદય થયાના 1 કલાકની અંદર જળ ચડાવવુ જોઇએ. 8 વાગ્યા સુધી જો તમે જળ ચડાવો છો તો તમને યોગ્ય ફળ પ્રાપ્ત થશે. તાંબાના લોટામાં ચપટી લાલ ચંદન કે કંકુ નાંખીને જળ ચડાવવુ અને તેના છાંટા પગને ન અડે તેવી રીતે ચડાવવુ જોઇએ.