અમદાવાદઃ વર્લ્ડ હેરિટેજ સીટીમાં સ્થાન મેળવનાર અમદાવાદની જાણે દુર્દશા બેઠી છે અને દુર્દશા બેસાડનાર બીજુ કોઈ નહીં પણ આપણું જ સૌનું ભ્રષ્ટ કોર્પોરેશન છે. તમે પણ સારી રીતે જાણો જ છો કે માત્ર થોડા જ ઈંચ વરસાદમાં રસ્તા પોતાની અસલિયત ભુલી જાય છે અને ઠેર ઠેર આપણને ખાડા અને ભુવાના વિકાસની યાદ અપાવે છે. તો શું આ ભુવા પડવા અને રસ્તા બેસી જવા પાછળ જવાબદાર લોકો કોણ...
શું ક્યારેય તમે આ વિશે વિચાર્યુ છે ખરૂ કે તમારા ટેક્સના પૈસે કોણ તાગડધિન્ના કરે છે. જો આવા ભ્રષ્ટ અધિકારીઓ કે એન્જિનિયર્સને જનતા હવાલે કરી દેવામાં આવે તો. પરંતુ સચ્ચાઈ એ છે કે શહેરમાં ગટર લાઈન હોય કે પછી ખોદકામ તે પૂરૂ થયા બાદ તેના પુરાણની સંપૂર્ણ જવાબદારી સંલગ્ન એન્જિનિયર્સની છે.
જે પણ એન્જિનિયર્સ દ્વારા રસ્તાની કામગીરી કરવામાં આવી હોય તેઓ દ્વારા સ્ટેટસ રિપોર્ટ સોંપવામાં આવે છે. બાદમાં જ તેમને રૂપિયા ચૂકવાતા હોય છે. તો શું આ રીપોર્ટ તપાસ કર્યા વિના જ બની જતા હશે. દર ચોમાસામાં રોડ રસ્તા પાછળ થતા ખોટાં કરોડોના ખર્ચના નુકસાન સામે કોર્પોરેશન કેમ કાર્યવાહી કરતુ નથી.
અત્યાર સુધીમાં એવા કેટલાં એન્જિનિયર્સ છે કે જેમની સામે કાર્યવાહી થઈ હોય. જો આમ બન્યુ હોત તો કદાચ આપણને આ પરિસ્થિતિ જોવા ન મળત. આ એન્જિનયર્સ રોડ રસ્તા બન્યા બાદ સ્થળની રૂબરૂ મુલાકાત લેતા હશે કે નહીં એ તો યક્ષ પ્રશ્ન છે.
પરંતુ કોર્પોરેશન ક્યાં સુધી આવા ભ્રષ્ટ અને જવાબદાર સામે દયાભાવના રાખશે એ સમજાતુ નથી. ત્યારે એવી પણ લોકમાગ છે કે આવા ભ્રષ્ટ લોકોને જનતા હવાલે કરી દેવા જોઈએ અને જનતા જ તેમનો નિર્ણય કરે.
અમદાવાદમાં વરસાદે ખોલી ભ્રષ્ટ કામગીરીની પોલ
ભુવા પડવા પાછળ મ્યુનિસિપલના એન્જિનિયર્સ જવાબદાર? ગટર લાઈન અને ખોદકામ બાદ પુરાણ કરવાની જવાબદારીથી કેમ ભાગે છે એન્જિનિયર્સ? એન્જિનિયર્સના સ્ટેટસ રિપોર્ટ બાદ જ રૂપિયા ચૂકવાતા હોવા છતા કેમ પડે છે ભુવા? શું એન્જિનિયર્સ તપાસ કર્યા વગર જ તૈયાર કરે છે રિપોર્ટ? ભુવાઓ ખુદ જ કેમ એન્જિનિયર્સની કામગીરીની ખાઈ રહ્યા છે ચાડી? કોરોડાના નુકસાન સામે શું કોર્પોરેશન એન્જિનિયર્સ સામે લેશે પગલાં? અત્યાર સુધીમાં કેટલાં એન્જિનિયર્સ સામે થઈ કાર્યવાહી? પોતાની જવાબદારીઓ સામે કેમ પીઠ બતાવી રહ્યા છે એન્જિનિયર્સ?
આ કામગીરી એન્જિનિયર્સ નહીં કરે તો કોણ કરશે? શું એન્જિનિયર્સની ખોદકામની જગ્યાએ લેવાતી મુલાકાત માત્ર કાગળ પર જ હોય છે? નાગરીકોના ટેસના પૈસે તાગડધિન્ના કરતા અધિકારીઓના પેટનો ખાડો યારે પૂરાશે? શું આવા જવાબદાર અધિકારીઓ કે એન્જિનિયર્સને લોકહવાલે ન કરી દેવા જોઈએ? શું તંત્ર દ્વારા જ આવા જવાબદારોને છાવરમાં આવે છે? આવા ભ્રષ્ટ અધિકારીઓ કે એન્જિનિયર્સને શું જનતા હવાલે ન કરી દેવા જોઈએ? શું આ ભ્રષ્ટ લોકો નથી જાણતા કે તેમની મલાઈ મારવાની ટેવમાં જનતાનો લેવાય છે ભોગ?