આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલની જૂની બિલ્ડીંગની જગ્યાએ હવે નવું બિલ્ડીંગ બનશે.આગામી ત્રણ દિવસમાં તબીબી વિદ્યાશાખાની વિદ્યાર્થીનીઓ શિફટ થશે.
મેડીકલ વિધ્રાથીનીઓની સમસ્યાનો અંત -તુરંત
B.J.મેડીકલની છાત્રાઓ થશે નવી બિલ્ડીંગમાં શિફ્ટ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત
ગત સપ્તાહમાં અમદાવાદની બી જે મેડીકલ કોલેજની વિધાર્થીનીઓ દ્વારા થયેલા આંદોલનના પગલે રાજ્ય સરકારે ત્વરાથી નિર્ણય લઇ ઘટતું કર્યું છે.રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, જૂની બિલ્ડીંગની જગ્યાએ હવે નવું બિલ્ડીંગ બનશે.આગામી ત્રણ દિવસમાં તબીબી વિદ્યાશાખાની વિદ્યાર્થીનીઓ શિફટ થશે.
ત્રણ જ દિવસમાં શિફ્ટ થશે
અમદાવાદની બી જે મેડીકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ ગત દિવસોમાં હોસ્ટેલની જર્જરિત સ્થિતિને લઈને હડતાલ આદરી હતી. તબીબી વિદ્યાશાખાની યુવતીઓ રહેવાની અગવડ વેઠીને પણ કોરોના કાળની બંને લહેરોમાં ફરજ બજાવી ચુકી છે ત્યારે,પોતાની રહેણાક વ્યવસ્થાને લઈને તેમણે સતત બે દિવસ દેખાવો કર્યા હતા. નવી સરકારમાં આરોગ્ય્માંન્ત્રીનો હવાલો સંભાળતા કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ,વિધાર્થીનીઓની દયનીય સ્થિતિથી વિચલિત થઇ ગયા હતા. તેમણે ત્વરિત કાર્યવાહીથી આ સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યું હતું. હવે આગામી ત્રણ દિવસમાં આ વિધાર્થીનીઓને નવી રહેણાક સુવિધા ફાળવવામાં આવશે.તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું
16.30 કરોડનું ટ્રુબીમ મશીનનું કર્યું લોકાર્પણ
તો આ તરફ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે દ્વારા અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક તકનીકોથી સજ્જ રેડીયોથેરાપી મશીનોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં ખુલ્લા મુક્યા હતા.જેમાં અંદાજીત 16.30 કરોડના ખર્ચે અમેરિકન કંપનીનું ટ્રુબીમ મશીન કાર્યરત કરવામાં આવ્યુ છે. જે મોઢા તથા ગળાના, ગર્ભાશયના,સ્તન, પ્રોસ્ટેટના, ફેફસા અને બ્રેઇન કેન્સરના સચોટ નિદાન અને સારવારમાં અત્યંત અસરકારક સાબિત થશે. આ મશીનથી જે ભાગમાં બિમારી હોય તેટલા ભાગને જ રેડિયોથેરાપીની સારવાર આપવામાં આવે છે. જેના કારણે શરીરના અન્ય ભાગમાં રેડીયશનની આડ-અસરની સંભાવના ઘટી જાય છે.
વિવિધ અઘરા ઓપરેશનમાં થાય છે ઉપયોગી
અંદાજીત 22 કરોડના ખર્ચે ટોમોથેરાપી મશીન કાર્યરત કરવામાં આવ્યું છે. જેના દ્વારા શરીરના જેટલા ભાગમાં કેન્સર હોય તે સંપૂર્ણ ભાગને એક સાથે રેડિયોથેરાપીની સારવાર આપી શકાશે.સાઇબર નાઇફ મશીન જે અંદાજીત 27.56 લાખના ખર્ચે અમેરીકન સ્થિત કંપની ના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. જે કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવારમાં અત્યાધુનિક માનાવામાં આવે છે. રોબોટ દ્વારા આ મશીન થકી સારવાર શક્ય બને છે. મગજના કેન્સર તથા શરીરમાં ખૂબ જ નાની કેન્સરની ગાંઠ હોય તેવા કિસ્સામાં ફક્ત કેન્સરગ્રસ્ત ભાગને જ સારવાર આપીને અન્ય ટીસ્યુ(પેશીઓને) નહીવત નુકસાન પહોંચે તે પ્રકારની સચોટ સારવાર આ મશીન ઉપલબ્ધ કરાવે છે.