શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે આંતરડાનું સ્વાસ્થ્ય રહેવું. કેટલીકવાર આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયા ઓછા થવાને કારણે અપચો અને કબજિયાતની સમસ્યા વધવા લાગે છે.
આંતરડાનું સ્વસ્થ્ય રહેવું શરીર માટે ખૂબ જરૂરી
હેલ્ધી બેક્ટેરિયા ઓછા થવાને લીધે થઈ શકે છે મુશ્કેલી
તમને કબજીયાત કે અપચો રહેતો હોય તો થઈ જજો સાવધાન
ઘણા લોકો એવા જોવા મળે છે કે હેલ્ધી ડાયટ લીધા પછી પણ તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એવામાં ઘણા લોકોને અપચો અને કબજિયાતની સમસ્યા થવા લાગે છે. કેટલાક લોકો આ સમસ્યાને નજરઅંદાજ કરે છે. તમને જણાવી દઈએ કે આ સમસ્યા ઘણા કારણોસર થઈ શકે છે. પરંતુ મોટાભાગના લોકોમાં આ સમસ્યા આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયાના અભાવને કારણે થાય છે.
આંતરડામાં આવવા લાગે છે સોજો
હેલ્ધી બેક્ટેરિયા આંતરડામાં ખોરાક પચાવવામાં મદદ કરે છે. તે શરીરનું મેટાબોલિઝમ વધારે છે. તેમની ઉણપને કારણે આંતરડામાં સોજાની સમસ્યા થવા લાગે છે. આ માટે તમારે ડાયટમાં પ્રીબાયોટિક ફૂડ સામેલ કરવું પડશે.
તે ઇન્સ્યુલિન, ટ્રાઇગ્લિસેરાઇડ અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડીને ઘણા રોગોનું જોખમ ઘટાડે છે. જો તમારા આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયા ઓછા થવા લાગ્યા છે તો હવે તમારી ડાયેટમાં અહીં જણાવેલા ખોરાકનો સમાવેશ કરો.
આ વસ્તુઓને કરો ડાયેટમાં શામેલ
લસણનો ઉપયોગ સામાન્ય રીતે દરેક ઘરમાં થાય છે. લસણ આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. આ સાથે તે હાનિકારક બેક્ટેરિયાને પણ ઘટાડે છે. શાકભાજી સિવાય ડુંગળીનો ઉપયોગ અનેક રોગોની દવા તરીકે થાય છે.
ડુંગળી ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે અને તંદુરસ્ત બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર કેળું પાચન સંબંધી સમસ્યાઓથી પીડાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય જવમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર પણ જોવા મળે છે, જે પેટની સમસ્યાઓમાં રાહત આપે છે.