મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રવિવારે સંશોધિત નાગરિકતા કાયદો (CAA) ના સમર્થનમાં તિરંગા યાત્રા નિકાળી રહેલા ભાજપના કાર્યકર્તાઓ અને તંત્ર વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.
રાજગઢના કલેકટર નિધિ નિવેદિતાએ ધારા 144 લાગૂ લાગૂ હોવાના કારણે ભાજપના કાર્યકર્તાના પ્રદર્શનને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ માન્યા નહીં. આ દરમિયાન કલેકટર અને કાર્યકર્તાઓ વચ્ચે તીખી ચર્ચા જોવા મળી અને કલેકટરે એક નેતાને લાફો મારી દીધો.
આ વચ્ચે વિવાદ વધતો ગયો અને પોલીસની સાથે-સાથે કલેકટર પણ ભાજપના કાર્યકર્તાઓને નિયંત્રિત કરવા માટે ઘણો સંઘર્ષ કરતા જોવા મળ્યાં. પરિસ્થિતિ વણસતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો જેમાં બે કાર્યકર્તાઓ ઘાયલ થયા.
In #MadhyaPradesh, People supporting #CAA got beaten by the Police. While It's been more than a month now #KalindiKunj-#ShaheenBagh road has been blocked because of the Peaceful community. No action taken.
રાજગઢ જિલ્લાના મુખ્યાલય પર સંશોધિતા નાગરિકતા કાયદા (CAA) ના સમર્થનમાં ભાજપના કાર્યક્રમને ધારા 144 લાગૂ હોવાના કારણે મંજૂરી આપી નહોતી. તેમ છતાં કાયદાની પરવાહ કર્યા વગર ભાજપના કાર્યકરો એકઠા થયા હતા.
આ દરમિયાન મહિલા અધિકારીઓ સાથે અભદ્રતા અને તેમના કપડા પકડવાની ઘટના થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ દરમિયાન એસડીએમ પ્રિયા વર્માએ ભીડને નિયંત્રિત કરવા પ્રયત્ન કર્યા. તેમણે પ્રદર્શનકારીઓને જમીન પર બેસવા જણાવ્યું. એક વીડિયોમાં એક પ્રદર્શનકારીને લાફો મારતા પણ જોવા મળ્યા છે. ત્યારબાદ એસડીએમ પ્રિયા વર્માને ભાજપના કાર્યકર્તાઓ ઘેરી લીધા અને વાળ ખેંચ્યા.