લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી નગર નિગમને એક કરવાના બિલ પર પોતાની વાત રજૂ કરી હતી.
લોકસભામાં અમિત શાહે દિલ્હી MCD બિલ રજૂ કર્યું
ઉતાવળ કરીને ભાગલા પાડવામા આવ્યા
ત્રણેય નગર નિગમમાંથી એકેયમાં તાલમેલ જોવા મળતો નથી
લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી નગર નિગમને એક કરવાના બિલ પર પોતાની વાત રજૂ કરી હતી. અમિત શાહે સદનમાં જણાવ્યું હતું કે, આખરે દિલ્હીની ત્રણ નગર નિગમને એક કરવા પાછળનું કારણ શું હતું. શાહે સદનમાં જણાવ્યું હતું કે, દિલ્હી નગર નિગમ સમગ્ર રાજધાની વિસ્તારનો 95 ટકા ભાગમાં કામની જવાબદારી ઉઠાવે છે. તેમણે જણાવ્યું હતું કે, બંને નગર નિગમમાં લગભગ 1 લાખ 20 હજાર કર્મચારીઓ કામ કરે છે. રાજધાની ક્ષેત્ર હોવાના કારણે રાષ્ટ્રપતિ ભવન પણ અહીં છે, સંસદ પણ અહીં છે અને પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર ત્યાં જ આવે છે. બધાં જ કેન્દ્રીય સચિવાલયો અહીં આવેલા છે. તથા મહત્વના તમામ સ્થાન પર દિલ્હીમાં આવેલા છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ કોઈ રાષ્ટ્રાધ્યક્ષ આવે છે, તો રાજધાનીની મુલાકાત સ્વાભાવિક હોય છે. એટલા માટે એ જરૂરી છે કે, દિલ્હીની તમામ સેવાઓ નગર નિગમ સારી રીતે ઉઠાવે.
पिछले दस साल के अनुभव का बारीक विश्लेषण और तथ्य जो सामने आए हैं उसको लेकर सरकार ने दिल्ली के तीनों निगमों का एकीकरण कर पहले जैसी स्थिति की जाए। यह बंटवारा आनन-फानन में किया गया बंटवारा था: लोकसभा में दिल्ली के MCD पर बोलते हुए केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/ogck62E3BY
અમિત શાહે કહ્યું કે, પહેલા દિલ્હીમાં એક જ નગર નિગમ હતી, જે બાદ તેને તોડીને ત્રણ નગર નિગમ બનાવી દેવામાં આવી. તેમણે કહ્યું કે, 1883થી પંજાબ ડિસ્ટ્રિક્ટ બોર્ડ એક્ટ અંતર્ગત દિલ્હી નગર નિગમ ચાલી રહ્યું હતું. 1957 દિલ્હી નગર નિગમ એક્ટ અંતર્ગત તેની સ્થાપના થઈ હતી અને 1991 અને 2011માં સંશોધન થયું અને દિલ્હીમાં ત્રણ નગર નિગમ બનાવામાં આવી. અમિત શાહે કહ્યું કે, સદનને એ ખબર હોવી જોઈએ કે, આખરે આખરે આ નગર નિગમને ત્રણ ભાગમાં શું કામ વહેંચવામાં આવી. શાહે કહ્યું કે, જે ભાગલા પાડવામાં આવ્યા, તે ઉતાવળમાં કરવામા આવ્યું હતું. રાજકીય લાભ ખાંટવા માટે પણ તેના ત્રણ ભાગલા પાડવામાં આવ્યા હતા.
ત્રણેય નગર નિગમમાંથી એકેયમાં તાલમેલ જોવા મળતો નથી
અમિત શાહે વધુમાં કહ્યું કે, છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ જોઈએ તો, ત્રણ નગર નિગમમાંથી એકેયમાં એકરૂપતા જોવા મળી નથી. અને ત્રણેય નગર નિગમ અલગ અલગ નીતિથી ચાલે છે. દરેક નિગમના બોર્ડને અધિકાર છે કે, તે પોતાના નિગમને ચલાવાની નીતિ પોતાના હિસાબે નિધાર્રિત કરી શકે છે. તેમણે કહ્યું કે, આ કારણે કર્મચારીઓમાં પણ તેને લઈને અસંતોષ જોવા મળે છે. શાહે કહ્યું કે, જ્યારે નગર નિગમને વહેંચવામા આવી ત્યારે જોયા જાણ્યા વગર આ કામ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત એક નગર નિગમ તો ફાયદામાં રહી પણ બાકીની બે અધિકારો વધારે હોવા છતાં પણ ઈન્કમ ઓછી રહી ગઈ.
દિલ્હીમાં કોર્પોરેટરોને 272થી 250 સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ
અમિત શાહે કહ્યું કે, દિલ્હી સરકાર નગર નિગમ સાથે સાવકો વ્યવહાર કરી રહી છે. જેના કારણે ત્રણેય નગર નિગમને પુરતા સંસાધનો નથી મળતા. તેમણે કહ્યું કે, એટલા માટે આ બિલને લઈને આવ્યો છું. જે અંતર્ગત ત્રણેય નગર નિગમોને એક બનાવી શકાય. એક જ નગર નિગમ હવે આખી દિલ્હીનું કામકાજ સંભાળશે. દિલ્હીના કોર્પોરેટરો 272થી ઓછા કરીને વધુમાં વધું 250 સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ છે.