એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, અતિ લોભને કારણે જ ઘણા લોકો લુંટાતા હોય છે. આવું રાજકોટ જિલ્લાના જેતપુરમાં બન્યું છે. અહીં ઈનામી ડ્રો અને જમા પૈસાના વધુ પૈસા આપવાની સ્કીમની લાલચમાં અનેક લોકો લૂંટાયા છે. સ્કીમ ચલાવનાર કરોડો રૂપિયાનું કરીને રફુચક્કર થઇ ગયો.
અતિ લોભને કારણે જ અનેક લોકો લુંટાયા
દર મહિને 1 હજાર કે નક્કી કર્યા મુજબના પૈસા ભરવાના રહેતા હતા
રાજકોટ જિલ્લાના જેતપુરમાં દીપ ગ્રુપ દ્વારા સ્કીમો ચલાવવામાં આવતી અને સ્કીમ મુજબ અલગ અલગ ઇનામો રાખવામાં આવતા હતા. આ ઇનામો દ્વારા લોકોને લોભાવવામાં આવતા હતા. સ્કીમ મુજબ તેમાં મેમ્બર બનવાનું રહેતું હતું અને જે મેમ્બર બને તેને દર મહિને 1 હજાર કે નક્કી કર્યા મુજબના પૈસા ભરવાના રહેતા હતા. સ્કીમનો સમય પૂરો થયે મેમ્બર થયેલ લોકોને તેના જમા પૈસા અને એક મોટું વ્યાજ આપવામાં આવતું હતું. સ્કીમ મુજબ મેમ્બરોને ઇનામ સાથે જમા પૈસાનું વ્યાજ જેને લઈને લોકો લલચાયને આવી સ્કીમોના મેમ્બર બને છે અને પછી છેતરાય છે.
3000 લોકોને 15 કરોડનો ચૂનો
જેતપુરમાં પણ આવું જ બન્યું દીપ ગ્રુપ દ્વારા ઘણા વર્ષો થયા આવી સ્કીમો ચલાવવામાં આવતી હતી. આ વર્ષે દીપ ગ્રુપની આ 22મી સ્કીમ હતી અને જેમાં 3000 જેટલા મેમ્બરો હતા જેમણે 50થી 60 હજાર રૂપિયા ભરી દીધા છે. જ્યારે આ સ્કીમનો સમય પૂરો થયો અને પૈસા ચૂકવવાનો સમય આવ્યો ત્યારે આ દીપ ગ્રુપનો સંચાલક પોતાની દુકાનને તાળું મારીને રફુચક્કર થઇ ગયો છે. જ્યારે આ દીપ ગ્રુપના સંચાલક કિશોર ઠુંમરનો કોઈ અતો પત્તો નથી. કિશોર ઠુંમરનો કોઈ ફોટો કે વિડિઓ પણ ક્યાંય જોવાના મળતો હોય આ વ્યક્તિને શોધવો પણ મુશ્કેલ છે.
3000 જેટલા જેતપુરવાસી આ સ્કીમનો ભોગ બનેલ છે. સ્કીમ મુજબ અંદાજિત 15 કરોડ રૂપિયાનો ચૂનો જેતપુરના આ લોકોને લાગી ચુક્યો છે. હાલ તો આ છેતરપિંડીનો ભોગ બનાર પોલીસના શરણે છે. ત્યારે વિચારવાનું એ રહ્યું કે જો આ સંચાલક પકડાય પછી પણ આ છેતરપિંડીનો ભોગ બનનાર લોકોને તેના પૈસા પાછા મળેશે કે નહિ.
હાલ તો જેતપુરના 3000 લોકોને 15 કરોડનો ચૂનો લાગુ ચુક્યો છે. ભોગ બનાનર આ લોકો મોટી લોભામણી લાલચમાં આવી ઇનામો અને પોતાના પૈસા મેળવવા માટે જોડાયા હતા જે જ બતાવે છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે.