કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ બુધવારે 13 લોકસભા ક્ષેત્રોના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મેરાથન બેઠક કરી. યૂરીમાં નબળા સંગઠનને ભેગા કરવામાં લાગેલી પ્રિયંકા ગાંધીએ 'ચૌપાલ'નો રસ્તો પસંદ કર્યો છે. મતદાતાઓનો ઉત્સાહ વધારવા માટે પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓને એક નંબર આપ્યો છે જેને ફોનમાં 'ચૌપાલ' નામથી સેવ કરવા માટે કહ્યું છે. કાર્યકર્તાઓને એવું પણ કહેવામાં આવ્યું છે કે દરેક લોકો બૂથ સ્તર સુધી આ નંબરથી દસ-દસ લોકોને જોડે. આ નંબરથી વોટ્સએપ પર લોકોને જાણકારી આપવામાં આવશે.
નોંધનીય છે કે અમેઠી અને રાયબરેલી ચૌપાલના નામથી કોંગ્રેસે એક કાર્યક્રમ કાર્યકર્તાઓ માટે શરૂ કર્યો હતો. કોંગ્રેસ એની પર પોતાના આવનારા કાર્યક્રમોની જાણકારી ઉપરાંત ગંભીર સમસ્યાઓ પર પોતાના વિચાર શેર કરતી રહી છે. પરંતુ કોંગ્રેસ હવે એનો વિસ્તાર કરવા જઇ રહી છે. એને અન્ય જિલ્લામાં પણ લઇ જવામાં આવશે. વાસ્તવમાં પ્રિયંકા અને સિંધિયાએ કાર્યકર્તાઓને એમની ભૂમિકાને સમજાવતા કહ્યું કે કોઇ પણ રાજકીય દળનું કરોડરજ્જુ એનો કાર્યકર્તા હોય છે. હાલ પૂરું ફોકસ કાર્યકર્તાઓ પર આપવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન કાર્યકર્તાઓએ પણ પ્રિયંકા ગાંધીને કહ્યું કે સારું પરિણામ ત્યારે જ મળશે જ્યારે પક્ષપલટુંઓને ટીકિટ આપવામાં આવે નહીં. આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓએ સ્થાનિક સ્તર પર સંગઠનની ફરિયાદ પણ કરી. એની પર પ્રિયંકાએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં હવે એક દોઢ મહિનો બચ્યો છે. એવામાં સ્થાનિય સ્તર પર ફેરફાર કરવો શક્ય નથી.
તો બીજી બાજુ કોંગ્રેસ મહાસચિવ અને પશ્વિમ યૂપીના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે પશ્વિમ વિસ્તારોની કેટલીક લોકસભા સીટોના પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી. એ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે કાર્યકર્તાઓના દમ પર કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડશે અને ઉચ્ચસ્તર પર પહોંચશે.