કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર વાલ્તોપ્રહાર કરતા કહ્યું કે, આવનારો સમય કહેશે કે કોનું અસ્તિત્વ છે અને કોનું
પ્રિયંકા ગાંધીનો પલટવાર
ભાજપ પર કર્યા આકરા પ્રહાર
કેટલાક સવાલોથી બચતી રહી
પ્રિયંકા ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં કાર્યકર્તાઓ સાથેની એક બેઠક બાદ પ્રિયંકા ગાંધીએ સમીસાંજે અમેઠી પહોચ્યા.અમેઠી આવીને પ્રિયંકાએ કયું કે કોંગ્રેસ સતત ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ ગોઠવવામાં લાગી છે.
ભાજપ દ્વારા સતત કોંગ્રેસ પર થી રહેલા શાબ્દિક પ્રહાર પર પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં પ્રિયંકાએ કહ્યું કે, એ તો સમય જ બતાવશે કે કોનું અસ્તિત્વ છે અને કોનું નહિ.જો કે, કેટલાય સવાલોના જવાબ આપવાથી પ્રિયંકા સતત બચતી રહી.ખાસ કીને મુખ્યમંત્રી યોગી અને અખિલેશ યાદવ પર અબ્બાજાન વાળા નિવેદન અંગે પ્રિયંકાએ મો ફેરવી લીધું
હનુમાન દર્શને પ્રિયંકા
આ પહેલા 2 દિવસ સુધી લખનૌમાં મેરાથોન બેઠક કરી રહેલી પ્રિયંકા ગાઁધીએ રાયબરેલીની સરહદમાં પ્રવેશ કરતા જ ચુરવા હનુમાન મંદિરમાં દર્શન-પૂજન કર્યું. હનુમાન મંદિરમાં પૂજન કર્યા બાદ તેમણે રાયબરેલીના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. જ્યાં પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. જણાવી દઇએ કે, પ્રિયંકા ગાંધીના માતોશ્રી અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીના જ સાંસદ છે.