પ્રિયંકા ગાંધીએ ઉત્તપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. તેમણે યુપીમાં બેરોજગારી પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, યુપીનો યુવા હતાશ અને નિરાશ છે.
યુપીમાં બેરોજગારી મુદ્દે પ્રિયંકા ગાંધીનો પત્ર
યુપીનો યુવા હતાશ-નિરાશ છે: પ્રિયંકા
પરીક્ષાના 3 વર્ષ બાદ પણ નિયુક્તિઓ નથી થઇ: પ્રિયંકા
યુવાઓને તાત્કાલિક ધોરણે નિયુક્તિઓ આપો: પ્રિયંકા
થોડાદિવસ પહેલા યુવાનો સાથે વાત કરી હતી. 12460 શિક્ષક ભરતીના ઉમેદવારો સાથે વાત કરી. પરીક્ષાના 3 વર્ષ બાદ પણ તેમની નિયુક્તિઓ નથી થઈ. જેથી યુવાઓને તાત્કાલિક ધોરણે નિયુક્તિઓ આપવામાં આવે.
योगी आदित्यनाथ जी,
इस पत्र को पढ़कर आपको यह समझ में आ गया होगा की उ.प्र.का युवा अब अपने भविष्य की संभावनाएं प्रियंका गांधी जी के साथ संजो चुका है !
फिर भी जब तक आप की सरकार है हम आपसे आग्रह करते रहेंगे ताकि प्रदेश का युवा सरकारी लाभ मिलने से वंचित ना रहे !
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં બેરોજગાર યુવાનોની સમસ્યાઓ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં લખ્યું છે કે ‘આ યુવાનો મજબૂરીમાં કોર્ટ કચેરીના ધક્કા ખાય છે. જેમાંથી અનેક એવા યુવાનો છે જેમનું જીવન સંઘર્ષથી ભરેલું છે. જેમની દર્દનાક સ્ટોરી સાંભળીને બહું દુઃખ થયું. હું સમજી ન શકી કે સરકારે તેમની પ્રત્યે આક્રમક અને નિર્મમ સ્વભાવ કેમ દાખવ્યો છે. જ્યારે આ જ ઉત્તર પ્રદેશનું ભવિષ્ય બનાવનારી પેઢી છે અને સરકાર તેમને જવાબ આપવા બંધાયેલી છે. ’
તેમણે કહ્યું કે આ યુવાનો બહું પરેશાન છે. કોરોનાએ તેમના પર વધારે કહેર વર્તાવ્યો છે. એક તો આમને નોકરી નથી મળી રહી અને ઉપરથી આ મહામારીમાં તેમને ખરાબ આર્થિક સંકળામણનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના પર ઘરના મીઠા, તેલ અને કરિયાણાની પણ જવાબદારી છે.’ પ્રિયંકા ગાંધીએ 12460 શિક્ષક ભર્તીના ઉમેદવારોની સાથે વીડિયો કોન્ફરન્સ પર વાતચીત બાદ આ પત્ર લખ્યો છે.