યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમની પુત્રી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા જનતાનો આભાર પ્રગટ કરવા રાયબરેલી પહોંચ્યા. લોકસભા ચૂટણીમાં વિજયી બન્યા બાદ સોનિયા ગાંધીની આ પહેલી યાત્રા હતી. પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે રાયબરેલીમાં પોસ્ટ પોલ રેલી દરમિયાન લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પર પાર્ટી કાર્યકર્તાઓ પર વરસ્યા.
પ્રિયંકા ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું. હું બોલવા માંગતી નહોતી, પરંતુ મારે બોલવું પડી રહ્યું છે કે સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક પર જીત પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નહી. પરંતુ મતદારોના પ્રયાસને કારણે મળી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાની માતા સોનિયા ગાંધી સાથે બુધવારે ઉત્તર પ્રદેશના રાયબરેલી લોકસભા ક્ષેત્રમાં મતદારોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, યૂપીએ અધ્યક્ષને પાંચમાં કાર્યકાળ માટે સંસદ મોકલવા માટે આપનો આભાર. અહીં લગભગ 2500 કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીએ પૂર્વી ઉત્તરપ્રદેશના પાર્ટી પ્રભારી સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓને ચેતાવણી આપી કે, ''એ લોકો વિશે જાણકારી મેળવો, જેમણે પાર્ટીના પક્ષમાં કામ ન કર્યું''.
કોંગ્રેસ મહાસચિવે આગળ કહ્યું કે, હું અહીં કોઇ ભાષણ આપવા નથી માંગતી, છતા મારે કહેવુ પડશે કે મને સત્ય બોલવા દેવામાં આવે. સત્ય એ છે કે ચૂંટણીમાં સોનિયા ગાંધી અને રાયબરેલીના લોકોને કારણે જીત મળી છે.''