કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફરી એકવાર અર્થ વ્યવસ્થાના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારના રોજ સૈયદ મુશ્તાક ટ્રોફીનો એક વીડિયો શેર કર્યો. જેમાં એક શાનદાર કેચ છટકતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોની સાથે પ્રિયંકાએ કટાક્ષ કરતા કહ્યું કે, ભારતીય અર્થ વ્યવસ્થા માટે જન હિતમાં જાહેર.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી મોદી સરકારને લીધી આડેહાથ
મેચનો વીડિયો ટ્વીટ કરી અર્થ વ્યવસ્થા પર સાધ્યું નિશાન
યોગી સરકારને પણ લીધી આડેહાથ
પ્રિયંકાએ પોતાના ટ્વીટમાં લખ્યું...
સાચો કેચ પકડવા માટે છેલ્લે સુધી દડા પર નજર અને રમત માટેની સાચી ભાવના હોવી જરૂરી છે. નહીંતર તમામ દોષ, ગ્રેવિટી, ગણિત, ઓલા-ઉબર અને અન્ય બાબતો પર થોપવામાં આવે છે.
सही कैच पकड़ने के लिए अंत तक गेंद पर नजर और खेल की सच्ची भावना होनी जरुरी है। वरना आप सारा दोष #gravity, गणित, ओला-उबर और इधर-उधर की बातों पर मढ़ते रहेंगे।
આપને જણાવી દઇએ કે, પ્રિયંકા ગાધીનો કટાક્ષ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, નાણાં મંત્રી નિર્મલા સિતારમણ દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલ નિવેદનને લઇને છે. પીયૂષ ગોયલે ગુરૂવારે એક નિવેદન આપતા કહ્યું કે, અર્થ વ્યવસ્થાને સંભાળવા માટે કોઇપણ રીતે ગણિત અથવા તેની સાથે જોડાયેલા કોઇ આંકડા જોવાની જરૂર નથી.
કેન્દ્રીય મંત્રીના આ નિવેદનને લઇને તેઓ ખુબ ટ્રોલ થયાં હતા, ત્યારબાદ તેમણે ખુલાસો આપતા કહ્યું કે, તેમના સંપૂર્ણ નિવેદનની એક લાઇનને ચર્ચાનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ તરફ નિર્મલા સિતારમણના નિવેદનને લઇને પણ કટાક્ષ કર્યો હતો. જેમા સિતારમણે ઓટો સેક્ટરમાં આવેલ પડતી માટે ઓલા-ઉબેરને જવાબદાર ગણાવ્યા હતા.
યોગી સરકારને પણ લીધી આડેહાથ
પ્રિયંકા ગાંધી આજકાલ સતત ટ્વીટરના માધ્યમ થકી કેન્દ્ર સરકારને આડેહાથ લઇ રહ્યા છે. આ સિવાય તેમણે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર પર નિશાન તાક્યું હતું. પ્રિયંકા કેન્દ્ર સરકારને અર્થવ્યવસ્થા મામલે સતત ઘેરી રહી છે તો તેમણે યોગી આદિત્યનાથ સરકારને પત્રકારો પરના હુમલાને લઇને પણ નિશાન સાધ્યું હતું.
થોડા સમય પહેલા પણ મંદી મુદ્દે આપ્યું હતું નિવેદન
આર્થિક મંદી વચ્ચેની અટકળો વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધી વાડ્રાએ એકવાર ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, રોજ આવી રહેલા મંદીના સમાચાર અને દરરોજ ભારતીય જનતા પાર્ટીની સરકારનું તેના પર મૌન બંને ઘણા ખતરનાક છે. કેન્દ્ર સરકાર પાસે તેનો કોઇ ઉકેલ નથી, ન દેશવાસીઓને ભરોસો આપી શકે તેટલી તાકાત, માત્ર બહાના આપવા અથવા નિવેદન તેમજ અફવા ફેલાવાથી કામ ચાલશે નહીં.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી કેન્દ્ર સરકાર પર સતત નિશાન સાધી રહ્યાં છે. આ અગાઉ પણ ઉત્તર પ્રદેશમાં વીજળી દરમાં વધારાને લઇને યોગી સરકારને આડે હાથ લીધી હતી.