રોબર્ટ વાડરાનો ટેસ્ટ કોરોના પોઝિટીવ આવતા પ્રિયંકા ગાંધીએ ડોક્ટરનીસ લાહ અનુસાર હોમ આઈસોલેશનમાં જતા રહ્યાં છે.
પ્રિયંકા ગાંધી હોમ આઈસોલેશનમાં
રોબર્ડ કોરોના પોઝિટીવ
ઘરના બીજા સભ્યોનો ટેસ્ટ નેગેટિવ
પ્રિયંકા ગાંધીએ આસામ, તમિલનાડુ અને કેરળનો તેમનો ચૂંટણી પ્રવાસ રદ કરી નાખ્યો છે. ટ્વિટર પર જાહેરાત કરતા પ્રિયંકાએ જણાવ્યું કે મારો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે પરંતુ ડોક્ટરોની સલાહ અનુસાર હું હોમ આઈસોલેશનમાં જઉ છું. મારો રિપોર્ટ તો નેગેટીવ છે પરંતુ હું થોડા દિવસ આઈસોલેશનમાં રહીશ. આ અગવડ બદલ હું તમામની માફી માંગુ છું. પ્રિયંકાએ જણાવ્યું કે દુર્ભાગ્યે મને મારા આસામ, કેરળ અને તમિલનાડુના તમામ ચૂંટણી કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી છે.
हाल में कोरोना संक्रमण के संपर्क में आने के चलते मुझे अपना असम दौरा रद्द करना पड़ रहा है। मेरी कल की रिपोर्ट नेगेटिव आई है मगर डॉक्टरों की सलाह पर मैं अगले कुछ दिनों तक आइसोलेशन में रहूँगी। इस असुविधा के लिए मैं आप सभी से क्षमाप्रार्थी हूँ। मैं कांग्रेस विजय की प्रार्थना करती हूँ pic.twitter.com/B1PlDyR8rc
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021
પ્રિયંકાએ કહ્યું કે હું કોંગ્રેસના વિજયના પ્રાર્થના કરુ છું. તમામ ઉમેદવારોની જીત થાય તેવી શુભકામના પાઠવું છું.
ફેસબુક પરની પોસ્ટમાં રોબર્ટ વાડરાએ લખ્યું કે મારો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. હું કોરોનાના કોઈ દર્દીનો સંપર્કમાં આવ્યો હતો. કોવિડની ગાઈડલાઈન અનુસાર હું અને પ્રિયંકા સેલ્ફ આઈસોલેશન જતા રહીએ છીએ. જોકે પ્રિયંકાનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. રોબર્ટે જણાવ્યું કે સદનસીબે આ સમયે બાળકો અમારી સાથે નથી અને ઘરના બાકીના સભ્યોનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. આશા રાખીએ કે થોડા સમયમાં બધું સારુ થઈ જશે અને કામ પર પરત ફરીશું.
સચિન તેડુંલકર પાછલા દિવસોમાં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા ત્યારે હવે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સચિને ટ્વિટર પર આ જાણકારી આપી છે. સચિને ટ્વિટ કરીને કહ્યું કે તમારી પ્રાર્થનાઓ માટે ધન્યવાદ. ડૉક્ટરોની સલાહ પર મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. થોડા દિવસમાં ઘરે પાછો આવી જઈશ તેવી આશા છે. ધ્યાન રાખો અને બધા જ સુરક્ષિત રહો. આપણાં વર્લ્ડ કપની 10મી વર્ષગાંઠ પર બધા જ ભારતીયો અને મારા સાથીઓને શુભકામનાઓ. નોંધનીય છે કે ગયા મહિને રાયપુરમાં રોડ સેફટી વર્લ્ડ સીરિઝમાં ભારતની ટીમે શ્રીલંકાને મ્હાત આપી અને ટ્રોફી જીતી હતી. આ ટૂર્નામેન્ટમાં સચિન ઈન્ડિયા લીજેન્ડ્સના કેપ્ટન હતા. ટૂર્નામેન્ટ ખતમ થયાના થોડા દિવસો બાદ સચિવ સહિતના ઘણા બધા પૂર્વ ખેલાડીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. સચિનની સાથે સાથે યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણ પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે.