પ્રિયંકા ગાંધીએ યૂપી પૂર્વની મુલાકાત લીધી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, પાંચ વર્ષમાં પ્રધાનંમત્રીને પાંચ મિનિટનો પણ સમય ના મળ્યો. પીએમ દુનિયા આખી ફરીને આવ્યા છે. પરંતુ પીએમ મોદી વારાણસીના એક પણ ગરીબ પરિવારને ગળે મળ્યા નહીં.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સતત ઉત્તર પ્રદેશની મુલાકાત લઈ રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ યૂપી પૂર્વની મુલાકાત લીધી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું પંદર દિવસ પહેલા જ વારાણસી ગઈ હતી. મેં પણ વિચાર્યુ કે પ્રધાનમંત્રીનો સંસદીય વિસ્તાર છે તો તેઓએ ઘણો બધો વિકાસ કર્યો હશે.
પોતાના મતવિસ્તારની મુલાકાત લીધી હશે અને લોકોને મળ્યા હશે. જ્યારે આશ્ચર્યની વચ્ચે મેં લોકોને પૂછ્યું, કે શું પ્રધાનમંત્રી અહીં આવે છે ખરા? તમારી મુલાકાત લે છે ખરા.. ત્યારે મને એવું જાણવા મળ્યુ કે, દીદી પ્રધાનમંત્રી આવે છે તો ખરા પણ ભાષણ આપીને જતા રહે છે. જ્યારે પ્રિયંકા ગાંધીએ આ વાત લોકો સમક્ષ કરી કે તરત જ હાસ્યનું મોજુ ફરી વળ્યુ.
પ્રિયંકા ગાંધીએ એવું પણ કહ્યું કે, આ સાંભળીને મને પણ નવાઈ લાગી કે પાંચ વર્ષમાં પ્રધાનંમત્રીને પાંચ મિનિટનો પણ સમય ના મળ્યો. આમ પીએમ મોદી પર કટાક્ષ કરતા પ્રિયંકાએ એવું પણ કહ્યું કે, દુનિયા આખી ફરીને આવ્યા છે. જાપાન ગયા તો ત્યાં ગળે લાગ્યા, પાકિસ્તાન ગયા ત્યાં બિરયાની ખાધી, ચીન ગયા તો ત્યાં ગળે મળ્યા. પરંતુ પીએમ મોદી વારાણસીના એક પણ ગરીબ પરિવારને તેઓ ગળે મળ્યા નહીં.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ગાજિયાબાદમાં રોડ શો દરમિયાન સેલ્ફી ફોટો ખેંચ્યા. લોકસભા ચૂંટણી 2019ને લઇને પ્રથમ ચરણનું મતદાન 11 એપ્રિલના રોજ થશે. એવામાં ઉમેદવારો પાસે ચૂંટણી પ્રચારને લઇને ઓછો સમય જોવા મળી રહ્યો છે. જેને લઇને ગાજિયાબાદ બેઠક પર કોંગ્રેસની ઉમેદવાર ડોલ શર્માના સમર્થનમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રોડ યોજ્યો હતો.