મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો છે કે સરકાર જનતાના સવાલો પર દૂર ભાગી રહી છે. એમણે ટ્વિટ કરતા કહ્યું કે, ''પત્રકાર બંધક બનાવામાં આવી રહ્યા છે. સવાલો પર પડદો પાડવામાં આવી રહ્યો છે, સમસ્યાઓને છેડો ફાડવામાં આવી રહ્યો છે, પ્રચંડ બહુમત મેળવનારી ઉત્તર પ્રદેશ ભાજપ સરકાર જનતાના સવાલોથી દૂર ભાગી રહી છે.''
પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું કે, ''નેતાજી આ પબ્લિક છે બધુ જાણે છે, સવાલ કરશે અને જવાબ પણ માંગશે.'' પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે મુરાદાબાદ મુલાકાત પર હતા. એમણે અહીં એક સરકારી હોસ્પિટલમાં લોકોને મળી રહેલી સેવા જાણવાની કોશિશ કરી. પરંતુ મુરાદાબાદ જિલ્લા અધિકારીએ પત્રકારોને એક રૂમમાં બંધ કરી દીધા. જેથી સ્વાસ્થ્ય સેવાઓ અને ખામીઓને લઇને પત્રકાર મુખ્યમત્રી યોગી આદિત્યનાથને સવાલ ન પૂછી શકે.
શું છે મામલો
મુરાદાબાદમાં ડીએમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સામે પત્રકારોને રૂમમાં બંધ કરી દીધા હતા. મુખ્યમંત્રી જિલ્લા હોસ્પિટલની સેવાઓ અંગે નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. પરંતુ ડીએમ રાકેશ કુમાર સિંહે ઇમરજન્સી રૂમમાં પત્રકારોને બંધ કરી દીધા હતા. પત્રકારોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની કોશિશ કરી પરંતુ તેમને ન મળવા દેવાયા.
Rakesh Kumar Singh, District Magistrate on reports of media persons locked up in Moradabad district hospital emergency ward during CM's visit yesterday: The allegation that media persons were locked up is baseless. They were just stopped by police near the door of emergency ward. pic.twitter.com/NDPhubUtwp
મુરાદાબાદના ડીએમએ ટ્વિટ કરી આરોપ પર સ્પષ્ટતા કરી છે. તેમણે લખ્યું કે, 'આ સત્ય નથી. નિરીક્ષણ દરમિયાન ઘણા મીડિયાકર્મી વોર્ડમાં હતા. મે પત્રકારોને મુખ્યમંત્રી સાથે વોર્ડમાં ન જવા અપીલ કરી હતી'.