કાનપુરના શેલ્ટર હોમમાં ઘણી છોકરીઓને કોરોના ચેપ લાગ્યાં બાદ આ મુદ્દા પર રાજકારણ વધી રહ્યું છે. આ મુદ્દે ઉત્તર પ્રદેશ બાળ સુરક્ષા આયોગે ગત દિવસે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને નોટિસ મોકલી હતી. હવે શુક્રવારે સવારે પ્રિયંકા ગાંધીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકાએ કહ્યું કે તે ઈન્દિરા ગાંધીની પૌત્રી છે, ભાજપની અઘોષિત પ્રવક્તા નથી.
બાળ સુરક્ષા આયોગને પ્રિયંકાનો જવાબ,
જે પગલા ભરવા હોય તે ભરો: પ્રિયંકા
આ પોસ્ટને ત્રણ દિવસમાં હટાવી દેવી જોઇએ
પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેના ટ્વિટર પર લખ્યું, 'લોકસેવક તરીકેની મારી ફરજ યુપીની જનતા માટે છે. અને તે ફરજ તેમની સામે સત્ય રાખવાનું છે. કોઈ સરકારી પ્રોપેગેન્ડાને આગળ મુકવાનું નથી. યુપી સરકાર અન્ય વિભાગોમાંથી મને ધમકી આપીને તેમનો સમય બગાડે છે.
પ્રિયંકા ગાંધીએ વધુમાં લખ્યું છે કે, જે પણ પગલા લેવા ભરવા હોય તે બિલકુલ ભરો કરો. હું સત્ય સામે રાખીશ. હું ઈન્દિરા ગાંધીની પૌત્રી છું. કેટલાક વિપક્ષી નેતાઓની જેમ ભાજપની અઘોષિત પ્રવક્તા નથી.
.. जो भी कार्यवाही करना चाहते हैं, बेशक करें। मैं सच्चाई सामने रखती रहूँगी। मैं इंदिरा गांधी की पोती हूँ, कुछ विपक्ष के नेताओं की तरह भाजपा की अघोषित प्रवक्ता नहीं।..2/2
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 26, 2020
ઉલ્લેખનીય છે કે કાનપુરના એક શેલ્ટર હોમમાં 57 યુવતીઓ કોરોના વાયરસ પોઝિટિવ મળી આવી હતી. આ સિવાય આમાંથી 6 જેટલી છોકરીઓ પણ ગર્ભવતી હતી. આ પછી, પ્રિયંકા ગાંધી આ મામલો ઉઠાવી રહ્યા હતા.
ભૂતકાળમાં, પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ફેસબુક પોસ્ટમાં કાનપુર શેલ્ટર હોમમાં સગીર છોકરીઓ ગર્ભવતી છે, ખાસ કરીને એચ.આય.વી અને હેપેટાઇટિસ સીથી ચેપ ગ્રસ્ત થયાની વાત કરી હતી. રાજ્યના રાજ્ય બાળ સુરક્ષા આયોગે આ નોટિસ ફટકારી છે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટને ત્રણ દિવસમાં હટાવી દેવી જોઇએ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.