આજે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં થયેલી રેલીમાં પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યા. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રતાપગઢમાં પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું, 'આમનાથી મોટા ડરપોક, એમનાથી નબળા પ્રધાનમંત્રી મેં લાઇફમાં પણ જોયા નથી.
લોકસભા ચૂંટણી 2019 માટે છઠ્ઠા તબક્કાનું મતદાન માટે પ્રચાર દરમિયાન રાજકીય નેતાઓ એકબીજા પર પ્રહાકનો સિલસિલો ઝડપી થઇ ગયો છે. ખાસ તરીકે પીએમ મોદી તરફથી ભાષણોમાં રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરવા અને એમને નિશાના પર લેવા કોંગ્રેસ પણ પલટવાર કરી રહી છે. આજે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં થયેલી રેલીમાં પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યા.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રતાપગઢમાં પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું, 'આમનાથી મોટા ડરપોક, એમનાથી નબળા પ્રધાનમંત્રી મેં લાઇફમાં પણ જોયા નથી. રાજનીતિક શક્તિ મોટા માટા પ્રચારથી આવતી નથી. ટીવી પર દેખાડવાથી આવતી નથી.'
PG Vadra: Rajnaitik shakti wo hoti hai jo ye maane ki janta sabse badi hai,janta ki baat sun'ne ki shakti,janta ki samasyaon ko suljhane ki shakti, alochna sun'ne ki shakti, vipakshi dalon ki baat sun'ne ki shakti. Lekin ye PM apki baat sun'na chhodiye, apko jawab dena nahi jante https://t.co/IxzKJyEtXJ
એમને કહ્યું કે રાજનીતિક શક્તિ એ છે જે માને જનતા મોટી છે. જનતાની વાત સાંભળવાની શક્તિ, જનતાની સમસ્યાઓનો ઉકેલ લાવવાની શક્તિ, ટીકા સાંભળવાની શક્તિ, વિપક્ષી દળોની વાત સાંભળવાની શક્તિ. પરંતુ આ પીએમ તમારી વાત સાંભળવાની તો દૂર, તમને જવાબ આપવા ઇચ્છતા નથી.
જણાવી દઇએ કે હાલ પીએમ મોદી અને રાહુલ ગાંધી પ્રિયંતા ગાંધીની વચ્ચે જોરદાર પ્રહારોનો સંગ્રામ ચાલી રહ્યો છે. પોતાની રેલીઓમાં મોદી રાજીવ ગાંધીનું નામ લઇ રહ્યા છે, તો બીજી બાજુ પ્રિયંકા ગાંધી પીએમ મોદી પર પલટલાર કરી રહી છે.