કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, નોટબંધી એ દેશની અર્થવ્યવસ્થાને બગાડનાર આપત્તિ સાબિત થઈ છે. 8 નવેમ્બરના રોજ, નોટબંધીના ત્રણ વર્ષ પૂર્ણ કરવા પ્રસંગે પ્રિયંકાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
નોટબંધીને આજે પૂરા થયા 3 વર્ષ
પ્રિયંકા અને મમતાએ નોટબંધીને લઈને કહ્યું આવું
પ્રિયંકાએ નોટબંધીને ગણાવી આપત્તિ તો મમતાએ ગણાવી આફત
પ્રિયંકા ગાંધીએ નોટબંધીને ગણાવી આપત્તિ
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે નોટબંધીને ત્રણ વર્ષ થયા છે. સરકાર અને તેના મંત્રીઓ તરફથી કરવામાં આવતા 'બધાં રોગો માટેનો ઇલાજ નોટબંધી' ના બધા દાવા એક પછી એક તૂટી પડ્યાં. નોટબંધી એક આપત્તિ સાબિત થઈ જેણે આપણું અર્થતંત્ર બગાડ્યું. હવે આ 'તુગલકી' પગલાની જવાબદારી કોણ લેશે?
नोटबंदी को तीन साल हो गए। सरकार और इसके नीमहक़ीमों द्वारा किए गए ‘नोटबंदी सारी बीमारियों का शर्तिया इलाज’ के सारे दावे एक-एक करके धराशायी हो गए।
नोटबंदी एक आपदा थी जिसने हमारी अर्थव्यवस्था नष्ट कर दी। इस ‘तुग़लकी’ कदम की जिम्मेदारी अब कौन लेगा?#3YrsOfDeMoDisaster
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ નોટબંધી અંગે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે આજે 'ડિમોનેટાઇઝેશન ડિઝાસ્ટર' ની ત્રીજી વર્ષગાંઠ છે. તેની ઘોષણાની મિનિટોમાં જ મેં કહ્યું હતું કે તે અર્થતંત્ર અને લાખો લોકોનું જીવન બરબાદ કરશે. પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ, સામાન્ય લોકો અને બધા નિષ્ણાતો હવે આ સાથે સહમત છે. રિઝર્વ બેંકના ડેટાએ પણ બતાવ્યું હતું કે તે એક નિરર્થક કવાયત છે.
Today is the third anniversary of #DeMonetisationDisaster. Within minutes of announcement, I had said that it will ruin the economy and the lives of millions. Renowned economists, common people & all experts now agree. Figures from RBI have also shown it was a futile exercise 1/2