કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આજરોજ અચાનક ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર પહોંચી છે. જ્યાં પ્રિયંકા ગાંધી સીધા મૌલના અસદના ઘરે પહોંચી હતી જ્યાં તેમણે પીડિત લોકો સાથે મુલાકાત કરી વાતચીત કરી હતી.
પ્રિયંકા ગાંધીએ નૂરના પરિવારજનો સાથે મુલાકાત કરી
કોંગ્રેસ નેતા ઇમરાન મસૂદ સાથે જોવા મળ્યાં
આ મુલાકાત સમયે પ્રિયંકા ગાંધી સાથે કોંગ્રેસ નેતા ઇમરાન મસૂદ અને પૂર્વ ધારાસભ્ય પંકજ મલિક પણ જોવા મળ્યાં. જ્યાં પ્રિયંકા ગાંધીએ નૂરાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીનો કાફલો નહરની પટરી જઇને મુઝફ્ફરનગર પહોંચી. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી એ હિંસામાં માર્યા ગયેલા મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી. જો કે એક મળતી જાણકારી મુજબ પ્રિયંકા ગાંધી પરત સમયે મેરઠની પણ મુલાકાત લેશે.
— UP Central Youth Congress (@IYC_UPCentral) January 4, 2020
ઉલ્લેખનીય છે કે મુઝફ્ફરનગરમાં 20 ડિસેમ્બરના રોજ થયેલ હિંસામાં એક યુવકની મોત નિપજ્યું હતું. શહેરના મીનાક્ષા ચોક પાસે ઉગ્ર ભીડએ પ્રદર્શન કરી પથ્થરમારો કર્યો, તોડફોડ કરી તેમજ આગ ચાપી હતી.
આ દરમિયાન પાંચ બાઇક અને સ્કૂટી સહિત ડઝનો વાહનમાં આગ લાગી હતી. જ્યારે એક પોલીસ ચોકીને ફૂંકી મારવામાં આવી હતી. જ્યારે ફાયરિંગમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો તેમજ લાઠી ચાર્જ કર્યો હતો.