સ્થાપના દિવસના અવસરે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) પર મોદી સરકારનો વિરોધ કર્યો. સાથે જ પ્રિયંકા ગાંધીએ વિપક્ષી પાર્ટીઓ પર નિશાન પણ સાધ્યું.
કોંગ્રેસના સ્થાપના દિવસ પર પ્રિયંકા ગાંધીનો વિપક્ષ પર હુમલો
પ્રિયંકા ગાંધીએ કહ્યું, અન્ય વિપક્ષી પાર્ટીઓ કંઇ જ કરી રહી નથી, તેઓ ડરી રહ્યા છે
વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાની અવાજ ઉઠાવી રહ્યા છે, સરકાર તેમનો મજાક ઉડાવી રહી છે
લખનઉમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં અન્ય વિપક્ષી પાર્ટીઓ કંઇ કરી રહી નથી, તેઓ ડરી રહ્યા છે. આપણે એકલા લડવાનું છે, આપણે કોઇનાથી ડરીશું નહીં. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ પ્રદેશને આપણે મજબૂત બનાવીશું. દેશના માટે દાખલા રૂપ બનવું જોઇએ કે, ઉત્તર પ્રદેશને બનાવવા માટે કોંગ્રેસ પાર્ટી ઉભી રહી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, આજે દેશ ખતરામાં છે. આપણે રાજ્યના અલગ-અલગ ભાગોમાં થયેલી હિંસાને જોઇ. વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાની અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ સરકાર તેમનો મજાક ઉડાવી રહી છે. ડરનો માહોલ ફેલાવાઇ રહ્યો છે. યુવકોને મારવામાં આવી રહ્યા છે. આજે આપણે એક વિચારધારાની સાથે લડી રહ્યા છીએ, જેમની દેશમાં આઝાદીમાં કોઇ ભૂમિકા રહી નથી.
બિજનોરમાં યુવકની મોત પર બોલ્યા પ્રિયંકા ગાંધી
નવા નાગરિકતા કાયદાને લઇને થઇ રહેલા વિરોધ અને બિજનોરમાં યુવકના મોત પર પ્રિયંકા ગાંધીએ કહ્યું, બિજનોરમાં 21 વર્ષના યુવકનું મોત થઇ ગયું. જેને હિંસા સાથે કોઇ સંબંધ નહોતો. પરિવારજનોને પોલીસે ધમકી આપી. તંત્રે અગ્નિ સંસ્કાર સુદ્ધાની મંજુરી પણ ન આપી. યુવકનો અગ્નિ સંસ્કાર તેમના સ્થાનેથી 40 કિલોમીટર દૂર કરવામાં આવ્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું, સરકાર અમારી અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે.
ત્યારે એનઆરસી પર પ્રિયંકા ગાંધીએ સરકાર પર હુમલો કરતા કહ્યું, દેશભરમાં એનઆરસીની ચર્ચા કર્યા બાદ કહે છે કે, અમે તો એનપીઆરની વાત કરી રહ્યા હતા. આ કાયરતા છે, તેને જાણો, જુઠ્ઠાણું ફેલાવાઇ રહ્યું છે.
આપણે એકજૂટ બનીને ચાલવું જોઇએ : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યું, ઉન્નાવમાં ભયાનક ઘટના બની. એક મહિલા સાથે પહેલા તો બળાત્કાર કરવામાં આવ્યો, ત્યારબાદ તેને મારી નાંખવામાં આવી. પરિવારજનોને ધમકી આપવામાં આવી. મહિલાઓ વિરુદ્ધ બળાત્કાર અને ગૂનાની ઘટનાઓ રોજ વધી રહી છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, જે પ્રકારે ગાંધી, નેહરૂ અને પટેલે લોકોને એકજુટ કર્યા. આપણે પણ એ રસ્તે ચાલવું જોઇએ. આપણી પાર્ટીના કાર્યકર્તાઓએ લડવાની જરૂર છે. જેથી લોકોને તેમના અધિકાર મળી શકે. આપણે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે ઉભા રહેવાની જરૂર છે, જેમનું શોષણ કરવામાં આવ્યું છે. આપણે સત્ય અને અહિંસાના સિદ્ધાંત પર ચાલવાની જરૂર છે.
વિપક્ષ પર હુમલો કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, યૂપીમાં અન્ય વિપક્ષી પાર્ટીઓ વધારે કંઇ કહી રહી નથી. મને નથી ખબર કે તેઓમાં ડર છે કે નહીં, પરંતુ અમે કોઇનાથી ડરતા નથી. આપણે આપણા સંગઠનને મજબૂત કરવા માટે મળીને કામ કરવાની જરૂર છે. રાજ્યમાં અરાજકતા છે અને આપણે કામ કરવાની આવશ્યકતા છે, જેથી રાજ્યની પ્રગતિ થઇ શકે.