લોકસભા ચૂંટણી પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી સંભાળી રહેલી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણી રણનીતિમાં મોટો ફેરફાર નજર આવી રહ્યો છે. પ્રયાગરાજથી વારાણસી સુધી ગંગા બોટ યાત્રા દરમિયાન પ્રિયંકાએ પોતાના રેલી સંબોધનમાં પ્રમુખતાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓનો વિરોધ કર્યો છે.
પરંતુ છેલ્લા 24 કલાકમાં પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કર્યાં છે. જો કે ઉલ્લેખનીય છે કે યોગીને ઘેરવા માટે પ્રિયંકા ગાંધીએ યુપીના મુદ્દાઓની પસંદગી કરી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એવા ચાર મુદ્દાઓને ઉઠાવ્યાં છે જેને લઇને ઉત્તર પ્રદેશની જનતા વચ્ચે નારાજગી જોવા મળી રહી છે.
જેમાં શેરડી પકવતાં ખેડૂતો, આંગણવાડી કાર્યકર્તા, આશાકર્મી અને શિક્ષામંત્રીઓની માગ સામેલ છે. પ્રિયંકા ગાંધીએ સીએમ યોગીની ઘેરાવબંધી તેવા સમયેથી શરૂ કરી જ્યારે યોગીને શેરડી પકવતા ઉત્તર પ્રદેશના સહારનપુરમાં રેલીને સંબોધન કરવા જવાનું હતું. કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ બોટ યાત્રા બાદ હવે રેલ યાત્રા દ્વારા લોકોનો સંપર્ક કરશે. પ્રિયંકા ગાંધી 27 માર્ચના રોજ દિલ્લીથી ફૈઝાબાદ રેલવે યાત્રા કરશે.
પ્રિયંકા ગાંધીએ ટવિટ કરી જણાવ્યું કે ઉત્તર પ્રદેશના શિક્ષામંત્રીની મેહનતનું રોજ અપમાન થાય છે. ભાજપના નેતા ટીશર્ટની માર્કેટિંગમાં વ્યસ્ત છે. પ્રિયંકા ગાંધી એ શેરડી પકવતા ખેડૂતોનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે શેરડી પકવતાં ખેડૂતનો પરિવાર દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ ઉત્તર પ્રદેશ સરકાર તેને વળતર આપવાની પણ જવાબદારી લેતી નથી. આ ચોકીદાર માત્ર ધનવાની જોબ કરે છે, પરંતુ ગરીબોની કોઇ ચિંતા નથી.