પ્રિયંકા ગાંધીએ અડધી રાતે ટ્વિટ કરી છે ऊं ह्रीं क्लीं चामुंडाय विच्चे. આ ટ્વિટને લઈને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યૂઝર્સે આ ટ્વિટને રાષ્ટ્રીય એકતાની સાથે જોડી છે. તો અન્ય એક યૂઝરે તેને કામના સિદ્ધિ મંત્ર ગણાવ્યો છે.
પ્રિયંકા ગાંધીએ અડધી રાતે કરી ટ્વિટ
ॐ ऐँ ह्रीं क्लिं चामुँड़ायै विच्चै।। મંત્ર કર્યો ટ્વિટ
યૂઝર્સે આપી આવી પ્રતિક્રિયાઓ
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી સોમવારે મધ્યરાત્રિએ ॐ ऐँ ह्रीं क्लिं चामुँड़ायै विच्चै।। મંત્ર ટ્વીટ કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી શું કહેવા માંગે છે તેના પર દુર્ગા સપ્તશતીના મંત્રને લઈને અટકળો તીવ્ર બની છે.
કોંગ્રેસે ઉત્તર પ્રદેશને નાગરિકત્વ કાયદાના વિરોધનું કેન્દ્ર બનાવ્યું છે. પાર્ટી વતી જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ મોરચો ખોલ્યો છે. મીડિયા સામે પ્રિયંકા ગાંધીએ યોગીના કેસરી કપડા પર સીધા નિશાન સાધતા કહ્યું કે ભગવો ભારતની ધાર્મિક પરંપરાની ઓળખ છે, જેમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. દરમિયાન, સીએમ યોગી આદિત્યનાથની ઓફિસ વતી પણ પ્રિયંકાને ભગવા વસ્ત્રો પર જવાબ આપવામાં આવ્યો હતો. આ પછી, પ્રિયંકા ગાંધીના ટ્વિટર એકાઉન્ટથી દુર્ગા સપ્તશતીના મંત્રને ટ્વીટ કરવામાં આવ્યું છે, જેના પર લોકો અનેક અલગ અટકળો કરી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીની ટ્વિટ પર આવી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ
પ્રિયંકા ગાંધીની દુર્ગા સપ્તશતી મંત્રની ટ્વિટને લઈને અનેક અટકળો જોવા મળી રહી છે. એક યૂઝરે ટ્વિટને રાષ્ટ્રિયતા સાથે પણ જોડી છે. અન્ય એક યૂઝરે તેને કામના મંત્ર ગણાવ્યો છે. કોઈએ યોદ્ય ઉચ્ચારણ કરવાની સલાહ આપી છે. એક યૂઝરે તેનો હિંદી અનુવાદ પણ પૂછ્યો છે. આવા અનેક પ્રકારના રિએક્શન્સ ટ્વિટને લઈને જોવા મળી રહ્યા છે.