કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અને પંજાબ વિધાનસભામાં ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે. યુપીની જાહેરસભામાં તેઓે ખુદ યુપીની દિકરી ગણાવી રહ્યા છે.
પંજાબમાં ચૂંટણી દરમિયાન નેતાઓ કરી રહ્યા છે રેલી
પ્રિયંકા ગાંધી પણ સીએમ ચન્નીના પક્ષમાં રેલી કરવા પહોંચ્યા હતા
ચન્નીએ યુપી અને બિહારને લઈને કટાક્ષ કર્યો
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી અને પંજાબ વિધાનસભામાં ધૂંઆધાર પ્રચાર કરી રહ્યા છે. યુપીની જાહેરસભામાં તેઓે ખુદ યુપીની દિકરી ગણાવી રહ્યા છે. યુપીની મહિલાઓ અને યુવાનોને પણ પોતાના ગણાવી રહ્યા છે. મહિલાઓ અને યુવાનોની અંદર ભારે ચર્ચાઓ જગાવેછે. પણ એવું લાગે છે કે, તેમના આ તેવર ખાલી યુપી સુધી જ મર્યાદિત છે.
જે બહારથી આવે છે, તેમને પંજાબિયત શિખવાડો- પ્રિયંકા
પંજાબમાં પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે, પંજાબ પંજાબીઓનું છે. અહીં કોઈ નવી રાજનીતિ નહીં મળે. આ જે બહારથી આવે છે, તેમને પંજાબિયત શિખવાડો. તેના પર પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ તુરંત પોતાના હાથમાં લઈને યુપી-બિહાર અને દિલ્હીવાળા પર કટાક્ષ કરવાનું શરૂ કર્યું હતું. પ્રિયંકા ગાઁધી આ દરમિયાન ચૂપ રહ્યા હતા અને ધીમે ધીમે હસી રહ્યા હતા. ચન્નીએ પોતાની વાતની શરૂઆતમાં પ્રિયંકાને પંજાબની વહુ ગણાવી. તેની સાથે તેમણે જે કહ્યું તેનાથી યુપી-બિહાર અને દિલ્હીવાળા જરાંયે પસંદ નહીં કરે.
ચન્નીનું નિવેદન
ચન્નીએ પબ્લિકને સંબોધન કરતા જણાવ્યું હું કે, યુપી, બિહાર અને દિલ્હીવાળા ભૈયા અહીં આવીને રાજ કરી શકશે નહીં. તેના પર પ્રિયંકા પણ નારા લગાવતા રહ્યા. હકીકતમાં ભૈયા શબ્દ ઉત્તર ભારતીયો પર કટાક્ષ અર્થે વાપરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તો બાલઠાકરેના સમયમાં યુપી બિહારના લોકોને આ ખાસ શબ્દ ભૈયા કહીને બોલાવામાં આવતા હતા. ત્યારથી આ એક શબ્દ યુપીના લોકો માટે કટાક્ષ બની ગયો છે.
આ ઘટના પંજાબના રુપનગરની છે. 15 ફેબ્રુઆરીએ પ્રિયંકા ગાંધી પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહની સાથે અહીં પહોંચ્યા હતા. રેલી બાદ તેઓ મંચ સુધી આવ્યા હતા. હાથમાં માઈક લઈને ભાષણ શરૂ કર્યું. તેમણે કહ્યું કે, સમજણનો ઉપયોગ કરો. ચૂંટણીનો સમય છે. લાંબી લાંબી વાતો કરવા નથી માગતી. પણ પંજાબના લોકો, ભાઈઓ-બહેનો જે આપની સામે છે, તેમને બરાબર ઓળખો. તમારામાં ખૂબ વિવેક છે. સમજદારી છે. આ સમજદારીનો ઉપયોગ કરો. બાદમાં કહ્યું આ પંજાબીઓનું પંજાબ છે. પંજાબને પંજાબીઓ જ ચલાવશે. અહીં કોઈ નવી રાજનીતિ નહીં ચાલે. આ જે બહારથી આવે છે, તે આપને શું શિખવાડે કે પંજાબિયત શું છે. પંજાબ મારૂ સાસરિયું છે. બસ ત્યાર બાદ ચન્ની શરૂ થઈ ગયા.