કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)એ મોદી સરકાર પર નિશાન સાધતા હકીકતથી મોં છુપાવવાનો આરોપ લગાવ્યો છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, 'આ દુ:ખની વાત છે કે જ્યારે દેશમાં લાખો લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે, તેમના પૈસા પર કુંડળી મારીને બેઠા છે, સરકારને જનતાના દુ:ખની કોઇ ચિંતા નથી. તેમને ફિલ્મોના નફાની ચિંતા છે'.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'મંત્રીજી ફિલ્મી દુનિયાથી બહાર નીકળો...હકીકતથી મોં ન છુપાવો.' નોંધનીય છે કે, એક દિવસ પહેલા જ કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) મંદીને લઇને અજીબો ગરીબ તર્ક આપ્યો. મુંબઇમાં મીડિયા સાથેની વાતચીતમાં એમણે 2 ઓક્ટોબરે રિલીઝ થયેલ બોલીવુડની 3 ફિલ્મોનો ઉલ્લેખ કર્યો. રવિશંકર પ્રસાદે કહ્યું કે 2 ઓક્ટોબરે ત્રણ ફિલ્મોએ એક દિવસમાં 120 કરોડ રૂપિયા કમાણી કરી છે તો આર્થિક મંદી ક્યાં છે?
નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે (IMF) પણ કેટલાક દિવસ પહેલા કહ્યું હતું કે ભારત અને બ્રાઝિલમાં આર્થિક મંદી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. રવિશંકર પ્રસાદે બેરોજગારી પર રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ કાર્યાલય (NSSO)ની રિપોર્ટને ખોટુ બતાવી હતી. તેમા કહેવામાં આવ્યું કે વર્ષ 2017માં બેરોજગારીનો દર ગત 45 વર્ષમાં સૌથી ઉંચો રહ્યો. પ્રસાદે આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો યોજનાબદ્ધ તરીકે સરકાર વિરુદ્ધ લોકોને બેરોજગારીની સ્થિતિ વિશે ગેરમાર્ગે દોરી રહ્યા છે.