રોડ અકસ્માતમાં ઘાયલ ઉન્નાવ બળાત્કાર પીડિતા ખુબ જ ગંભીર સ્થિતિમાં છે. ત્યારે આ મામલે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી પર હુમલો કરતા ટ્વવિટ કરી કહ્યું કે, 'ઉન્નાવ બળાત્કાર મામલા અને પરિવારને તકલીફ પહોંચાડવી સત્તાના સંરક્ષણ વિના સંભવ નથી. હવે ધીરે-ધીરે હકીકત સામે આવી રહી છે, અને ભાજપ નેતાઓના નામ અને પોલીસનું ઢીલાપણું સામે આવી રહ્યું છે.'
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આગળ કહ્યું કે, 'કોંગ્રેસ ન્યાય માટે પ્રતિબદ્ધ છે. આ લડાઇ અમે મજબૂતીથી લડીશું' આ મામલામાં સીબીઆઇ (CBI)ને ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગર અને અન્ય 10 લોકોના વિરુદ્ધ મામલો નોંધ્યો છે. સીબીઆઇને આ મામલો મંગળવારે જ સોંપવામાં આવ્યો હતો. રવિવારે થયેલ આ બનાવને પગલે વિપક્ષી પાર્ટીઓએ સત્તારુઢ ભાજપાની ટીકા કરતા તેને પોતાના ધારાસભ્યને સંરક્ષણ ન આપવા માંગ કરી હતી.
જ્યારે કર્મચારી અને તાલીમ વિભાગ (DOPT)એ એક નિવેદન જાહેર કરી કહ્યું કે અમે રાયબરેલીમાં થયેલ દુર્ઘટનાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. સોમવારે મોડી રાત્રે પ્રદેશ સરકારે રાયબરેલીમાં થયેલ અકસ્માતની તપાસ સીબીઆઇને સોંપવા સૂચન કર્યું હતું. બનાવની ગંભીરતા જોતા કોંગ્રેસ અને અન્ય ઘણા વિપક્ષી પાર્ટીઓએ ઉન્નાવ બળાત્કાર પીડિતાના રોડ અકસ્માતમાં ગંભીર રૂપે ઘાયલ થવાનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો હતો.
આ મામલાને લઇને કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, બસપા અને દ્રમુકે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ તો બે વાર વોકઆઉટ કર્યું હતું. આ મુદ્દા પર 30થી વધારે સદસ્યોએ ગૃહમાંથી અધ્યક્ષના આસનની પાસે જઇ 'અમારે ન્યાય જોઇએ'ના નારા લગાવ્યા હતા. જેમા મોટાભાગે કોંગ્રેસ સાંસદ હતા.
उन्नाव बलात्कार मामला व पीड़िता के पूरे परिवार को प्रताड़ित करना सत्ता के सरंक्षण के बिना सम्भव नहीं।
अब परतें खुल रही हैं व भाजपा नेताओं के नाम और पुलिस की लीपापोती सामने आ रही है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 31, 2019
આ પહેલા મંગળવારે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરતા પીએમ મોદીને ઉન્નાવ મામલે અપીલ કરી હતી. એમણે કહ્યું હતું કે વડાપ્રધાન (નરેન્દ્ર મોદી) ભગવાન માટે આ ગૂનેગાર અને રાજનીતિકમાં સક્રિય તેના ભાઇને પોતાની પાર્ટી દ્વારા આપવામાં આવી રહેલી રાજનૈતિક શક્તિને રોકો. હજુ પણ મોડું નથી થયું. જ્યારે અન્ય એક ટ્વિટમાં પૂછ્યું હતું કે ભાજપ શેની રાહ જોઇ રહી છે. તથા બળાત્કારના આરોપી ધારાસભ્યને પાર્ટીને સસ્પેન્ડ કેમ નથી કરી રહ્યા? જ્યારે તેનું નામ ઉન્નાવ બળાત્કાર કાંડમાં હાલમાં નોંધવામાં આવેલ એફઆઇઆરમાં સામેલ છે.
કોંગ્રેસ, સપા, બસપાએ આ વિષય પર સંસદની બહાર પણ ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ભાજપ પોતાના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને સંરક્ષણ આપી રહી છે. ઉન્નાવ રોડ એક્સિડેન્ડ મામલે પીડિતાના પરિવારે આરોપ લગાવ્યો છે કે, આરોપી જેલમાં બંધ બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે કરાવ્યો હતો.