કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આખરે બોટ યાત્રા પર કેમ નીકળ્યા છે. માં ગંગાની પૂજા કરવા પાછળ પ્રિયંકાની રણનીતિ શું છે? વોટ યાત્રા અંતર્ગત પ્રિયંકા ક્યાં ક્યાં જશે? પ્રિયંકા કોને સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે? પ્રિયંકા કેમ અન્ય કોંગ્રેસી નેતાઓથી અલગ છે? કેમ પ્રિયંકામાં લોકો ઈન્દિરાને જોઈ રહ્યા છે. જોઈએ આ અહેવાલમાં.
ઈન્દિરા ગાંધીની જેમ લોકો સાથે વર્તન કર્યું પ્રિયંકા ગાંધી
ચુસ્ત સુરક્ષામાં હોવા છતાં કોઈ મહિલાના હાથે જ્યુસ પી લેવો, મહિલાઓને આવી રીતે ગળે મળી લેવું, ઉભા થઈને મહિલાઓની પાસે સેલ્ફી પડાવી અને માસુમ બાળકીને પોતાની ગોદમાં ઉઠાવીને રમાડવી અને બાદમાં તેના ખભા પર હાથ મુકીને ચાલવાનું. આ જ ગુણ છે જે પ્રિયંકા ગાંધીમાં ઈન્દિરા ગાંધીના એક્સને દેખાય છે. કારણ કે, જનતાની વચ્ચે આવી જ રીતે ઈન્દિરા ગાંધી પણ જયા કરતા કરતા હતા. આ તમામ વસ્તુ પ્રયાગરાજના સિરસામાં થઈ રહ્યું હતું, પરંતુ કહાનીનો આ તો આગળનો હિસ્સો છે. આની પાછળ અમે પ્રિયંકાના અનેક રંગ છોડીને આવ્યા છે. જેને જોવા માટે થોડુ રિવર્સ જવુ પડશે અને શરૂઆત સંગમ તટથી જ કરવી પડશે.
1976માં ઈન્દિરા ગાંધીએ કર્યા બાદ હવે પ્રિયંકાએ આ મંદિરમાં કરી પૂજા
સંગમ તટ પર પૂજા પાઠ બાદ પ્રિયંકાએ હનુમાનજી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા, મંદિરમાં દૂધાભિષેક કર્યો અને પૂજા કરી, વર્ષ 1976માં આજ મંદિરમાં ઈન્દિરા ગાંધીએ પૂજા અર્ચના કરી હતી અને 2019માં હવે પ્રિયંકા આજ મંદિરમાં પૂજા અર્ચના કરવા પહોંચ્યા. દર્શન કર્યા બાદ મંદિરમાંથી બહાર નીકળ્યા અને જ્યારે પત્રકારોએ પૂછ્યું કે, ભગવાન પાસે શું માગ્યું. ત્યારે તેમણે કંઈક આવો જવાબ આપ્યો. ભગવાનના આશીર્વાદ લઈને પ્રિયંકા માં ગંગાની લહેરો પર સવારી માટે બોટ પર સવાર થઈ તો કાર્યકર્તાઓ તેમને કંઈ કહેવા માગતા હતા. તો પ્રિયંકાએ SPGને હટાવીને તેમની પણ વાત સાંભળી લીધી. તેમને નિરાશ ન કર્યા.
પ્રિયંકા એ વિસ્તારોમાં પહોંચી જ્યાં દશકોથી મોટા નેતા નથી ગયા
પ્રિયંકાની સાથે બોટમાં ગણ્યાંગાઠ્યા લોકો જ હતા. આ યાત્રાથી પ્રિયંકા એ વિસ્તારોમાં પહોંચી જ્યાં દશકોથી મોટા નેતા નથી પહોંચ્યા. આ બોટ યાત્રાથી પ્રિયંકાએ તે ગ્રામિણ વિસ્તારોને સાધવાનો પ્રયાસ કર્યો જે નેતાઓના શહેરી રોડ શોથી ઘણા દૂર રહી જાય છે. આપને જણાવી દઈએ કે પ્રિયંકાની બોટ યાત્રા જ્યાં જ્યાં ફરવાની છે તેમાં સૌથી વધારે ગ્રામિણ વિસ્તારો છે. એ ગ્રામિણ વિસ્તારો કે, જ્યાં સૌથી વધારે વંચિત વર્ગના લોકો રહે છે. આ વિસ્તારોમાં કેવટ, નિશાદ અને માછીમારો જાતિના સૌથી વધારે લોકો રહે છે. અહીં તેમની વસ્તી લગભગ 12 ટકા જેટલી છે.
પ્રિંયકાએ દલિતોને રીઝાવવાનો પ્રયાસ પણ કર્યો
પ્રિયંકાએ પોતાની બોટ યાત્રાની શરૂઆત જુસીના છતના ઘાટથી ન કરી મનૈયા ઘાટથી કરી હતી. અહીં નિશાદ જાતિના વસ્તી વધારે છે અને આ સમગ્ર વિસ્તારમાં ગંગા નદીના કિનારે તે વસેલી છે. નિષાદ અને કેવટ જાતિના લોકો અહીં મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. પ્રિયંકાની સાથે બોટમાં સાવિત્રી બાઈ ફુલે નજરે આવ્યા. જેઓ દલિતોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે, એક પ્રયાસ દલિતોને રીઝાવવાનો પણ કરી લીધો છે. પ્રિયંકાની બોટ યાત્રાનો પ્રથમ પડાવ પ્રયાગરાજના સૈદાબાદ બ્લોકના દુમદુમા ગામમાં પડ્યો. જ્યાં તેમણે પ્રધાનમંત્રી મોદીની ચોકીદારી પર ચોટ કરી દીધી. અહીં પ્રિયંકાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. અહીં એક વૃદ્ધે પ્રિયંકામાં ઈન્દિરા ગાંધીના એક્સને જોઈ ભાવુક થઈ ગયા. વૃદ્ધના ભાવુક થવામાં જ પ્રિયંકાની શક્તિ છૂપાયેલી છે. કોંગ્રેસ પ્રિયંકામાં ઈન્દિરા ગાંધીની છબીને બતાવવા માગે છે અને કોંગ્રેસ એ પણ જાણે છે કે જો જનતાએ એ છબીને જોવાનું શરૂ કરી દીધું તો તમામ જાતિના વાડા ખતમ થઈ જશે.
ગાડીની જગ્યાએ પ્રિયંકાએ કાર્યકરોની સાથે પગપાળા જવાનું પસંદ કર્યું
પ્રિયંકા ગાંધીનો પ્રયાસ વોટ બેંકથી ઉપર રહેનારા યુવાઓને જોડવાનો પણ છે. બોટમાં પ્રિયંકા અનેક વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જોવા મળ્યા, તો દુમદુમાથી નીકળી પ્રિયંકાએ સિરસા પહોંચવાનું હતું, પરંતુ બોટ પર સવાર થતાં જ કેટલીક મહિલાઓએ તેમને મળવાનો આગ્રહ કર્યો. આ વાત પર પણ પ્રિયંકા માની ગયા અને બોટ પરથી ઉતરીને તેમને મળવા પહોંચી ગયા. દૂમદુમાથી નીકળ્યા બાદ પ્રિયંકાનો ઈન્તજાર સિરસા ઘાટના કાર્યકરો કરી રહ્યા હતા અને પ્રિયંકા જ્યારે તે પહોંચ્યા તો દ્રશ્યો જોવા જેવા હતા. ઘાટ પર કાર્યકરોની મોટી ભીડ હતી. પ્રિયંકાને સિરસામાં ગાડીથી જવાનું હતું, પરંતુ ઉંચાઈ હોવાને કારણે પ્રિયંકાએ કાર્યકરોની સાથે પગપાળા જવાનું પસંદ કર્યું. પ્રિયંકાએ ચાલવાનું શરૂ કર્યું. વૃદ્ધ મહિલાઓને ગળે એવી રીતે મળ્યા કે, જાણે વર્ષોથી તેમને જાણતા હોય. પ્રિયંકાના આવવાથી આ રોડ જાણે નાનો પડવા લાગ્યો. ચારે બાજુ મોટી ભીડ જોવા મળી, જેમને રસ્તા પર જગ્યા ન મળી તેઓ છત પર ચડી ગયા અને ત્યાંથી જ ફુલ વર્ષાવા લાગ્યા.
પ્રિયંકાનો 6 બેઠકોને કવર કરવાનો પ્રયાસ
બોટ યાત્રાથી પ્રિયંકા 6 લોકસભા બેઠકોને કવર કરી રહી છે. અલ્હાબાદ, ફુલપુર, ભદ્રોહી, મિર્ઝાપુર, ચંદૌલી અને વારાણસી પર પ્રિયંકાની નજર છે. 2014માં પૂર્વાંચલની તમામ 6 બેઠક પર ભાજપે કબજો કર્યો હતો. કોંગ્રેસના ફાળે અહીં એકપણ બેઠક આવી ન હતી. આ વિસ્તાર એક જમાનામાં કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ હવે આ વિસ્તારમાં કોંગ્રેસ નામ માત્રની જ બચી છે. પ્રિયંકાનો પ્રયાસ કોંગ્રેસને આ વિસ્તારમાં ફરીથી બેઠી કરવાનો છે. બોટ યાત્રાથી વોટ મેળવવાનો છે.