કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી આજે પાર્ટી ઉમેદવાર ડૉલી શર્માના સમર્થનમાં રોડ શો કરશે. એ ઘંટાઘર સ્થિત શહીદ ભગત સિંહની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યા બાદ જીટી રોડ સ્થિત રમતે રામ રોડ મોડથી રોડ શો શરૂ કરશે.
રમતે રામ રોડથી ડાસના ગેટ, જટવાડા થઇને માલીવાડા ચોક પર એમનો રોડ શો સમાપ્ત થશે. પોલીસ અને એસપીજીના સુરક્ષા કારણોથી રોડ શો નો રૂટ નાનો કરી દીધો છે. આ પહેલા એમના માટે બીજો રસ્તો પસંદ કરવામાં આવ્યો હતો.
તો બીજી બાજુ અન્ય દળોએ પણ છેલ્લા પાંચ દિવસોમાં પૂરી તાકાત લગાવવાની તૈયારી કરી લીધી છે. પાંચથી નવ એપ્રિલ સુધી ગાજિયાબાદમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત ઘણા મોટા નેતાઓની જનસભા અને રોડ શો હશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ગાજિયાબાદમાં પહેલી વખત ચૂંટણી માટે આવી રહી છે, જેને લઇને પાર્ટી કાર્યકર્તાઓમાં જોરદાર ઉત્સાહ છે. કોંગ્રેસીઓએ પહેલા દૂધેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી અહીંયાથી પ્રિયંતા ગાંધીના રોડ શો નો રૂટ નક્કી કર્યો હતો. તેમજ સોશિયલ મીડિયા પર જારી કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પ્રશાસને એ માટેની પરવાનગી આપી નહતી. મોડી સાંજે રોડ શો માટે નવો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો.